SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ को वा दरिद्रो हि विशाल तृष्णः श्रीमांश्च को यस्य समस्त तोषः । जीवन्मृतः कस्तु निरुद्यमो य : વિવા મૃત સ્વાત્સુલવા નિરાશા 11511 ૧ દરિદ્ર કોણ છે ? ભારે તૃષ્ણાવાળો. ૨ ધનવાન કોણ છે ? જેને સર્વ રીતે સંતોષ છે. ૩ જીવતો હોવા છતાં મૃત કોણ છે ? જે પુરૂષાર્થહીન છે. ૪ અમૃત શું છે ? સુખ આપવાવાળી નિરાશા (આશા રહિત). ૫ મદિરા સમાન કઈ વસ્તુ મોહ પમાડે છે ? નારી (સ્ત્રી). ૬ મોટો અંધ કોણ ? જે કામવિકારમાં વ્યાકુળ છે. ૭ મૃત્યુ શું છે? વ્યક્તિની પોતાની અપકીર્તિ (અપમાન). ૮ ગુરૂ કોણ છે ? જે માત્ર હિતકારક ઉપદેશ આપે છે. ૯ શિષ્ય કોણ છે ? જે ગુરૂનો સાચો ભક્ત છે. ૧૦ સૌથી મોટો રોગ કર્યો છે ? વારંવાર જન્મમરણ કરવો પડે તે. ૧૧ આ રોગની દવા કઈ છે ? પરમાત્માનું સતત ધ્યાન. ૧૨ સૌથી ઉત્તમ ભૂષણ કયું છે ? ચારિત્ર. ૧૩ આ સંસારમાં ત્યાગ કરવા લાયક શું છે ? કંચન અને કામિની. ૧૪ ધ્યાનપૂર્વક સાંભળવા યોગ્ય શું છે? વેદ અને ગુરૂવાણી. ૧૫ પરમાત્માની પ્રાપ્તિનાં સાધન કયા છે? સત્સંગ, સાત્વિક દાન, પરમાત્માના સ્વરૂપનું મનન અને સંતોષ. ૧૬ મહાત્મા કોણ છે ? સંસાર પ્રત્યેની સર્વથા આસકિત નષ્ટ થઈ ગઈ છે અને જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને જે પરમ કલ્યાણકા૨ી પ૨માત્મા તત્ત્વમાં સ્થિર થયો છે. Jain Education International 2010_03 ૪૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy