SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અનિરુદ્ધ એવા ચાર રૂપે પ્રકટ થાય છે. જે વાસુદેવ છે તેને જ પરમાત્મા એમ માને છે, જે સંકર્ષણ તે જીવ છે, જે પ્રધુમ્ન છે તે મન છે અને જે અનિરુદ્ધ છે તે અહંકાર છે. આમાંના વાસુદેવ એ પરમકારણ છે, અને બીજા સંકર્ષણ વગેરે કાર્યો છે. તે આ પ્રકારના ભગવાન પરમેશ્વરનાં અભિગમન, ઉપાદાન, ઈજ્યા, સ્વાધ્યાય અને યોગ એનાથી એકસો વર્ષ આરાધના કરીને (ભાવિક માણસ) જેના કલેશ નાશ પામ્યા છે એવો થઈ ભગવાનને જ પામે છે. હવે અહિં જે કહેલું છે કે ‘જે આ અવ્યક્તથી પર એવો પ્રસિદ્ધ પરમાત્મા અને સર્વાત્મા નારાયણ છે, તે પોતપોતાનો અનેક પ્રકારે વિભાગ કરીને અનેકરૂપે પ્રકટ થાય છે' તેનું અમે ખંડન કરતા નથી, કારણ કે ‘તે એક પ્રકારનો છે,’ તે ત્રણ પ્રકારનો છે. વગેરે શ્રુતિ ઉપરથી પરમેશ્વર અનેક રૂપો ધારણ કરે છે, એમ જણાય છે. તેમજ તે ભગવાનનું અભિગમન વગેરે પ્રકારનું જે આરાધન સતત અને અનન્ય ચિત્તથી કરવાનું અહીં કહેલું છે, તેનું પણ અમારે ખંડન કરવું નથી, કારણ કે ‘ઈશ્વરની આરાધના કરવી’ એ શ્રુતિમાં પ્રસિદ્ધ જ છે, પરંતુ એમ જે કહેલું છે કે ‘વાસુદેવથી સંકર્ષણ ઉત્પન્ન થાય છે, સંકર્ષણથી પ્રદ્યુમ્ન ઉત્પન્ન થાય છે અને પ્રદ્યુમ્નથી અનિરુદ્ધ ઉત્પન્ન થાય છે’ તે વિષે અમારૂં કહેવું છે કે - વાસુદેવ નામના પરમાત્માથી સંકર્ષણ નામના જીવની ઉત્પત્તિ સંભવતી નથી, કારણ કે જીવની ઉત્પત્તિ છે, એમ માનો તો તેને ‘અનિત્યત્વ' વગેરે દોષ પ્રાપ્ત થાય અને તેને લીધે તેને ભગવત્પ્રાપ્તિ નામનો મોક્ષ પ્રાપ્ત થશે નહિં, કારણ કે કાર્ય એ કારણમાં પ્રાપ્ત થતાં લય જ પામી જાય છે. બીજું Jain Education International 2010_03 ૪૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy