SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પાથેય સમાન છે. અહીં કોઈ શાસ્ત્રના ગંભીર વિચારોનું દોહન નથી પણ શ્રીમદ્ગી આત્મસાધનાના પરિપાકરૂપે વિચારો વ્યક્ત થયા છે. આ પ્રકારના પ્રશ્નોત્તરો પ્રશ્નોત્તર સાહિત્યની વિવિધતામાં અભિનવ પ્રકાશપુંજ પાથરે છે. પ્રશ્નોત્તર સાહિત્યના તુલનાત્મક અધ્યયનમાં હિંદુ ધર્મના બ્રહ્મ સૂત્ર શંકરભાષ્ય, પ્રશ્રોપનિષદ્ અને સ્વામીશ્રી શંકરાચાર્ય વિરચિત સંસ્કૃત પ્રશ્નોત્તરોનો અનુવાદની સંક્ષિપ્ત નોંધ આપવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્રને કેટલાક ભક્તોએ અવારનવાર સત્સંગ-પ્રવચન દરમ્યાન પ્રશ્નો પૂછયા હતા તે દષ્ટિએ એમના કેટલાંક પ્રશ્નોની નોંધ કરી છે. પ્રો. રસિકભાઈ એમ. શાહ અમલસાડવાળાએ“ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ' પુસ્તકમાં જૈન ધર્મ વિષયક પ્રશ્નો સંવાદરૂપે પ્રગટ થયા છે તેનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રશ્નો પણ પ્રથમ વિભાગ જેવા જ છે પણ શૈલીમાં તફાવત હોવાથી ક્રમ આપ્યો નથી અને સ્વતંત્ર રીતે પ્રગટ કર્યા છે. અર્વાચીન જૈન સાહિત્યમાં શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સાધક તરીકે જૈન-જૈનેત્તર વર્ગમાં વિશેષ લોકપ્રિય છે. એમનું સાહિત્ય જ્ઞાન અને ભક્તિમાર્ગ એમ બંનેનું અનુસંધાન કરે છે. પૂ. શ્રીના સંપર્ક આવનારા શ્રાવકોએ અને અન્ય ભક્તોએ કેટલાક પ્રશ્નો પૂછયા હતા અને તેના પૂ. શ્રીએ જવાબ આપ્યા છે. શ્રીમદ્ રાજચંદ્ર-જીવન કળામાં આવા કેટલાંક પ્રશ્નો છે કે જે આત્મા સાધક તરીકે ઉપયોગી નીવડે છે ને સાથે સાથે જ્ઞાન-માહિતીપ્રદ બને છે. શ્રીમદ્ મુંબઈમાં હતા ત્યારે દેવકરણ મુનિનો પરિચય થયો હતો. તે અંગેનો વાર્તાલાપ પ્રશ્નોત્તર રૂપે પ્રાપ્ત થાય છે. ૧૦૪૫ શ્રીમદ્ વ્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી થાય છે? શ્રી દેવકરણજી હજારેક માણસની પર્ષદા ભરાય છે. ( ૪૦૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy