SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલો રત્નપ્રભાપૃથ્વીની નીચે આવે અથવા છુટા પડે ત્યારે પૃથ્વી દેશથી હાલે-કંપાયમાન થાય છે ૧, કોઈ વ્યંતર વિશેષ વૈક્રિય શરીર અને ઋદ્ધિ વિફર્વતો અભિમાનમાં આવીને ખૂબ કુદાકુદ કરે ત્યારે પણ ધરતીકંપ થાય ૨, અથવા ભવનપતિ નિકાયના અસુરકુમાર નાગકુમાર સુવર્ણકુમાર વિગેરે પરસ્પર યુદ્ધ કરે ત્યારે પણ દેશથી ધરતીકંપ થાય છે ૩. રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ઘનવાત છે તે સ્વાભાવિક રીતે કોપાયમાન થાય ત્યારે ઘનવાત કોપાયમાન થતાં ઘનોદધિ ક્ષુબ્ધ થાય અને ઘનોદધિ ક્ષુબ્ધ થતાં તેના આધારે રહેલી સમગ્ર રત્નપ્રભા પૃથ્વી પણ સંક્ષુબ્ધ થાય અને તેમ થતાં અહિં દરેક ઠેકાણે ધરતીકંપ દેખાય. ૧, કોઈ સમર્થ દેવ પોતાનું બલ પરાક્રમ ઋદ્ધિ વિકર્વે ત્યારે સમગ્ર પૃથ્વી કંપાયમાન થાય છે, કારણ કે બલ વીર્ય વિગેરેનું બતાવવું પૃથ્વી વિગેરેના ચાલન સિવાય સંભવી શકતું નથી. ૨, અને વૈમાનિક તેમજ ભુવનપતિદેવોને ભવપ્રત્યયિક વૈરાનુબંધ હોવાથી તેઓનો પરસ્પર સંગ્રામ થાય ત્યારે પણ પૃથ્વી કંપાયમાન (ધરતીકંપ) થાય છે. ૨૦. પ્રશ્નોત્તરત્નમાળા આત્મકલ્યાણના માર્ગની પ્રેરણા કરતું સાહિત્ય જનતામાં પ્રચાર પામે, જ્ઞાન પિપાસુઓ તેનો વધારેમાં વધારે લાભ લેતા થાય અને એ રીતે સંસ્કૃતિનો સંગીન પ્રચાર થતો રહે એવી શુભ ભાવના ભાવતાં ભાવતાં પ્રશ્નોત્તર રત્નમાળા પ્રગટ કરવામાં આવી છે. કવિએ મંગલાચરણમાં દેવ-ગુરૂની સ્તુતિ કરીને પ્રશ્નોત્તર માળાની રચનાનો નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છે : લાખ બાતકી એક બાત, પ્રશ્ર પ્રશ્નમેં જાણ, (૩૯૩) ૩૯૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy