SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ કસોટીથી થાય છે. સુવર્ણની પરીક્ષા કસોટી (Black)ના પથ્થરથી થાય છે તેમ સાધુમાંથી આચાર્ય થતાં કસોટીમાંથી પસાર થવાનું હોય છે એટલે સાધુનો રંગ શ્યામ ગણવામાં આવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર પદોના રંગની કલ્પના શ્વેત-સફેદ રંગની ક૨વામાં આવી છે. દર્શનપદની આરાધના શુક્લધ્યાનથી કરવાની છે એટલે આ ધ્યાનનો રંગ શ્વેત છે. જ્ઞાનપદનો વિચાર કરીએ તો અજ્ઞાન અંધકારનો રંગ કાળો છે જ્યારે જ્ઞાન-પ્રકાશ છે એનો રંગ શ્વેત છે એમ કલ્પનાથી ધ્યાન ધરવાનું છે. ચારિત્રનો ગુણ સદા ઉજ્જવળ છે. શુભ ક્રિયા અને સદાચા૨ ઉજ્જવળતા આપે છે અને શુદ્ધ જ્યોતિર્મય બનાય છે માટે શ્વેત વર્ણની કલ્પના કરી છે. તપ પદનો રંગ શ્વેત છે કારણ કે આત્મા કર્મરહિત થાય અને નિર્મળ-ઉજ્જવળ બને છે એટલે કે આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે માટે શ્વેત વર્ણની કલ્પના કરી છે. (શ્રીપાળ રાજાનો રાસ પા. ૪) ૧૦૩૮ પ્રશ્ન અષ્ટપ્રકારી પૂજા અને અન્ય પૂજન વખતે થાળી વગાડવામાં આવે છે તો તેના ડંકા ૨૭ કેમ છે? થાળી વગાડવાનું પ્રયોજન શું છે ? કોઈપણ પૂજાવિધિ કે અનુષ્ઠાનનું જો કોઈ અંતિમ લક્ષ હોય તો તે સર્વ કર્મોના ક્ષય કરીને મુક્તિ મેળવવાનું છે. આ લક્ષ સિદ્ધિ માટે મુનિજીવન રાજમાર્ગ છે. મુનિના ગુણ ૨૭ છે તેન સ્મરણ માટે થાળી વગાડવામાં આવે છે. વળી મુનિ જીવનમાં વીસવસાની જીવદયાનું પાલન થાય છે. જીવદયા અને જયણા એ ધર્મનો પાયાનો સિદ્ધાંત છે એટલે મુનિધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ પણ છે. ઉત્તર Jain Education International 2010_03 ૩૯૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy