SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જે તે આવશ્યક ક્રિયા કરવાની ભાવના દર્શાવવામાં આવે છે. સંસ્કૃત પાઠ સંદિશતઃ (મિ) (પા. ૭૧૦) પ્રબોધ ટીકા ભા. ૧, પૂ. શ્રી ભદ્રંકર વિજયજી ૧૦૩૭ પ્રશ્ન નવપદના વર્ણનું રહસ્ય શું છે? ઉત્તર નવપદના વર્ણની કલ્પના ધ્યાતાની અપેક્ષાએ કરવામાં આવી છે. વાસ્તવિક રીતે તો પદો વર્ણ, ગંધ, સ્પર્શરહિત છે ધ્યાન કરનાર વ્યક્તિ આંખો મીંચી અંતર્મુખ થતાં હૃદયમાં અષ્ટદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ, પછીથી ધીમે ધીમે નીલ, પીત અને શ્વેત વર્ણ ભાસે છે. છેવટે તેજના ગોળા જેવો લાલવર્ણ ભાસે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી શ્વેત સુધી પહોંચી શકે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આત્માના ગુણો હોવાથી શ્વેત વર્ણની કલ્પના કરવામાં આવી છે. અરિહંત શુક્લધ્યાનનું પ્રતીક છે. નવપદમાં પ્રથમ છે. સફેદ વર્ણ સર્વવર્ષોમાં પ્રધાન છે એટલે અરિહંતનો રાં સફેદ – શ્વેત છે. સિદ્ધ - સિદ્ધોએ તપ કરીને આત્માને તપાવ્યો છે અને સર્વ કર્મોનો ક્ષય કર્યો છે એટલે સિદ્ધપદનો રંગ લાલ છે. તંદુરસ્ત માણસ લાલ હોય છે. સિદ્ધ કર્મ રહિત થવાથી રક્તવર્ણવાળાની કલ્પના કરી છે. આચાર્યનો પીતવર્ણ હેતુપૂર્ણ છે. આચાર્ય દીપક સમાન છે. એટલે દીપ શિખાના પીતવર્ણની કલ્પના કરી છે. ઉપાધ્યાય આ પદનો નીલ વર્ણ છે. ઉપાધ્યાય નીલમણિ સમાન શાંત અને મનોરમ્ય છે. શિષ્યોને પઠન-પાઠન કરાવીને જ્ઞાનબાગ છે. લીલોછમ હરિયાળો રાખે છે માટે લીલો વર્ણ રાખ્યો છે. સાધુ - આચાર્ય પદરૂપી સુવર્ણની પરીક્ષા સાધુ ધર્મરૂપી ( ૩૮૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy