SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવે છે. ઉપરોક્ત આસન ન ફાવવાથી મોટાભાગના ભાઈ-બહેનો માત્ર જમણો પગ ઊભો કરે છે. ૧૦૩૪ પ્રશ્ન સામાયિકની શરૂઆતમાં ગુરૂ સ્થાપના વખતે હાથ અવળો અને સામાયિક પાર્યા પછી હાથ સવળો રાખવામાં આવે છે તેનું કારણ શું? ઉત્તર સામાયિક લેતી વખતે ગુરૂ મહારાજ ન હોય તો સ્થાપન મુદ્રા સ્થાપના નિક્ષેપથી હાથ અવળો કરીને નવકાર પંચિંદિય બોલીને ગુરૂની સ્થાપના કરવામાં આવે છે જ્યારે સામાયિક પૂર્ણ થાય ત્યારે ઉત્થાપન મુદ્રા હાથ સવળો રાખીને સ્થાપના કરેલ છે. તેને ઉત્થાપન કરવામાં આવે છે. ૧૦૩૫ પ્રશ્ર પ્રભાતના રાઈપ્રતિક્રમણમાં જગચિંતામણી ચૈત્યવંદન શા માટે બોલાય છે? ઉત્તર શ્રી તરૂણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલા પડાવશ્યક બાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે. પતન રાત્રિ તિવ્રHT हुअ अंउ पाछई कम्मभूमिहिं पढमं संघयणि ईत्यादि नमस्कार (આધાર પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧, પા. ૩૭૪ કર્તા સંશોધક ભદ્રંકરવિજયજી) ૧૦૩૬ પ્રશ્ન સામાયિક, પૌષધ, સઝાય, ઉપાધિ વગેરે આવશ્યક ક્રિયાઓમાં “સંદિસાહુ' શબ્દનો ઉપયોગ થાય છે તો તેનો અર્થ શું છે? ઉત્તર સામાયિક સંદિસાહુ' એ શબ્દ દ્વારા સામાયિક કરવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવે છે. વિનય ગુણ અને આજ્ઞા પાલનના હેતુથી ગુરૂ પાસે ઉપરોક્ત શબ્દ દ્વારા આદેશ માગીને ૩૮૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy