SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ સૂત્રોની રચના કરે છે. અન્ય રીતે વિચારીએ તો ‘પૂર્વ’ શબ્દ જ્ઞાનના સંદર્ભમાં પ્રયોજાય છે. ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર, એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવનાર મુનિઓનો સંદર્ભ તેની સાથે રહેલો છે. ૧૦૦૨ પ્રશ્ન અભવ્ય કોને કહેવાય ? ઉત્તર જે જીવ મોક્ષાવસ્યા પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતો નથી તે જીવને અભવ્ય કહેવાય છે. ૧૦૦૩ પ્રશ્ન મનુષ્યની ઉત્પત્તિ અઢીદ્વીપમાં કહી છે તો તે અઢીદ્વીપ ક્યા પ્રકારે છે ? ઉત્તર તેના બે મુખ્ય ભેદ છે. (૧) અકર્મભૂમિ અને (૨) કર્મભૂમિ. ૧૦૦૪ પ્રશ્ન અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય ? ઉત્તર મનુષ્યની ઉત્પત્તિના અઢીદ્વીપની અંદર ત્રીશ ક્ષેત્ર તો અકર્મભૂમિ જુગલીયા મનુષ્યના છે અને છપ્પન ક્ષેત્ર અંતરદ્વીપના મનુષ્યના છે. એ છ્યાંશી ક્ષેત્રના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતા નથી એ મનુષ્યો તો પોતાના પૂર્વે કરેલા પુણ્યોના ફળો દેવતાઓની પેઠે સુખ ભોગવે છે. ૧૦૦૫ પ્રશ્ન આપણે અત્યારે કયા દ્વીપના કયા ક્ષેત્રે રહીએ છીએ ? ઉત્તર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ. ઉત્તર ૧૦૦૬ પ્રશ્ન જૈન દર્શનમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દોનો જે નિર્દેશ આવે છે તેનો અર્થ શું છે ? એકમ, દશક, સો એમ ઉત્તરોત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સંખ્યાત માન્યો છે. અસંખ્યાત એટલે કે જેની સંખ્યા ન ગણાય તે અસંખ્યાત એમ બતાવ્યું નથી. બલ્કે અસંખ્યાત માટે પણ Jain Education International 2010_03 ૩૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy