SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. વિચાર રત્નસાર ૯૬૯ પ્રશ્ન દેશના કોને કહેવાય? ઉત્તર જ્યાં મિથ્યાત્વની પુષ્ટિ ન થાય, માર્ગ વિરુદ્ધ ન પ્રકાશે, આત્મસ્વરૂપ ઉપાદેયરૂપે પ્રરૂપે તથા શુભ ક્રિયાને અત્યાદરપણે પ્રરૂપે, શુભ ક્રિયાના ફળની વાંછા ન કરાવે, પાપની આસેવના ટાળે, તિરસ્કાર રખાવે ઈત્યાદિ આગમોક્ત રીતે શુદ્ધ પ્રરૂપણા તે દેશના કહેવાય. ૯૭૦ પ્રશ્ન ચાર પ્રકારે મિથ્યાત્વ તે કેવી રીતે? ઉત્તર (૧) પ્રદેશ મિથ્યાત્વ, (૨) પરિણામ મિથ્યાત્વ, (૩) પ્રરૂપણા મિથ્યાત્વ, (૪) પ્રવર્તન મિથ્યાત્વ. તે મધ્યે જીવ વ્યવહાર સમકિત પામે ત્યારે પ્રરૂપણા અને પ્રવર્તન મિથ્યાત્વ ટળે અને ગ્રંથભેદ કરી ઉપશમ ક્ષયોપશમ સમકિત પામે ત્યારે પરિણામ મિથ્યાત્વ ટળે અને ક્ષાયિક સમકિત પામે ત્યારે પ્રદેશ મિથ્યાત્વ ટળે. ૯૭૧ પ્રશ્ન વૈરાગ્ય અને સંવેગમાં શો ફેર? ઉત્તર સંસાર એટલે વિષય કષાયાદિ મહા મલિનતાના કારણરૂપ શરીર. સ્વજન પરિવાર, ભોગ વૈભવાદિ થકી વિરકત બુદ્ધિ એટલે રાગનો ત્યાગ તેને વૈરાગ્ય કહીયે. અને એકાંત મોક્ષની જ અભિલાષા, શાશ્વત, સ્વાભાવિક, ચિદાનંદધન મય પરમાત્મ પ્રાપ્તિની જ ઈચ્છા તેને સંવેગ કહીયે અને એવા સંવેગે કરી સહિત હોય તે જ ખરા સંવેગી જાણવા. ૯૭૨ પ્રશ્ન ધર્મનું સ્વરૂપ ચતુર્વિધ કહ્યું છે તે કેવી રીતે? ઉત્તર (૧) વસ્તુનો મૂળ સ્વભાવ તે ધર્મ, (૨) ક્ષમાદિ દશવિધ યતિધર્મ, (૩) દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યતિધર્મ, (૪) ૩૭૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy