SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાય તો તે કર્મ ભોગવવું પામે માટે જ સમભાવ રહે. અધર્મની પ્રશંસા કરવાથી શ્રાવકને ભવભ્રમણ ભમવું પડ્યું છે તે કયા અર્થ દીપિકામાં છાપેલી ચોપડીમાં પાને ૭૭છે માટે અધર્મીના બહુમાન પણ ન કરવા. ૯૨૭ પ્રશ્ન અન્ય ધર્મવાળા ધર્મ કરણી કરે છે તે ફોગટ જાય છે કે કેમ? ઉત્તર અન્ય દર્શનીમાં પણ કેટલાક જીવો કેવલ પોતાના આત્માને કર્મથી મુક્ત કરવા સારુ જીવદયા પાળે છે જુઠું બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન સેવતા નથી, પરિગ્રહ રાખતા નથી, ક્રોધ, માન, માયા, લોભ પાતલા પડ્યા છે ને તે પાતલા પાડવાનો ઉદ્યમ કરી રહ્યા છે. કોઈ ધર્મ ઉપર દ્વેષ નથી તે પણ અનુક્રમે ચડવાનું કારણ છે. જેથી હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચયમાં પાતંજલીને માર્ગાનુસારીમાં ગવેધ્યા છે ને કેટલાક જીવો જરા જૈન ધર્મ તેના ઉપર દ્વેષ કરી રહ્યા છે ને અહંકાર મમકાર કરી રહ્યાં છે. હિંસા કરી ધર્મ માને છે એવા જે અન્ય ધર્મવાળા તેનું કામ શી રીતે થાય, રાગ, દ્વેષ જે તે જ સંસારનું જીવન તે તો રાતદિવસ કરી રહ્યા છે ત્યારે તેના લાભ તો સર્વે ધર્મવાળા સંસાર ફલજ કહી ગયા છે તેનું બીજું ફળ ક્યાંથી થાય. (પા. ૧૪૩) ૯૨૮ પ્રશ્ન આત્મતત્ત્વનું જ્ઞાન ન હોય તેને તપશ્ચર્યા કરતાં શું લાભ થાય તથા ચારિત્રથી શું લાભ? ઉત્તર આત્મજ્ઞાન નથી હોતું પણ આત્મજ્ઞાની પુરૂષની નિશ્રાએ રહી વર્તે છે તે પુરૂષ પણ કર્મ ખપાવી શકે છે જેમ કે માસતુરામુનીને એક પદ પણ મોંઢે ચઢતું ન હતું પણ ગુરૂની આજ્ઞામાં રહો એક પદનો અભ્યાસ જારી રાખ્યો તો કેવલજ્ઞાન ૩૫૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy