SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૯ પ્રશ્ન ઉત્તર ૯૩૦ પ્રશ્ન ઉત્તર ૯૩૧પ્રશ્ન ઉત્તર પામ્યા કારણ જે ગુરૂમહારાજ નિશ્ચય વ્યવહા૨ ઉત્સર્ગ અપવાદ દ્રવ્ય ભાવ એ સર્વેના જાણ છે માટે શિષ્યને થોડો બોધ હોય પણ મુખ્ય મુખ્ય બાબત ગુરૂ સમજાવી દે એટલે તેનું આત્માનું કામ સહેજે થઈ જાય છે. બીજા માણસ સાથે વાદવિવાદ કરી ન શકે પણ પોતાના આત્માનું કામ કરી શકે છે. માટે એવા પુરૂષનો તપ સંયમ સફલ છે. ગીતાર્થ અને ગીતાર્થની નિશ્રાએ બે પ્રકારનો માર્ગ જ કહ્યો છે. (પા.૧૫૩) શ્રાવક આરાધક થાય તો કેટલે ભવે સિદ્ધિ વરે ? આયુર પચ્ચખ્ખાન પયજ્ઞામાં કહ્યું છે જે સંથારો કરી સર્વ વસ્તુ ઓસરાવી સર્વ જીવ સાથે ખમતખામણાં કરી આરાધના કરી કાલ કરે તો ઉત્કૃષ્ટ સાત ભવ થાય એથી અવિક ભવ થાય નહીં વાસ્તે જરૂર આરાધક થવાની ભાવના હંમેશ ક૨વી ને આરાધના કરવાનો ઉદ્યમ કરવો. (પા. ૧૯૫) ભગવંતો વિચરે તારે રસ્તામાં સાથે શું શું વસ્તુ હોય ? ઉવઈજીની છાપેલી પ્રતમાં પાના ૪૯નીચે લખેલી વસ્તુ આકાશમાં સાથે ચાલે (૧) ધર્મચક્ર આગળ ચાલે, (૨) ત્રણ છત્ર સાથે ચાલે મસ્તક ૫૨, (૩) બેહુ પાસે ચામર ધરી રહ્યા છે, (૪) સીહાશળ પાદ પીઠ સહિત સાથે ચાલે, (૫) ધર્મધ્વજ આગળ ચાલે આ વસ્તુ સાથે ચાલે તથા ચોત્રીસ અતીશય તથા પાંત્રીસ વાણી ગુણે બિરાજમાન હોય વળી દેવતા ગણ પણ હોય એવી રીતે વિચરે છે. અભવી ક્યાં સુધી ભણે ? નંદીસૂત્રની આપેલી પરત પાના ૩૯૯મે સાડા નવ પૂર્વ સુધી ભણે કહ્યું છે પણ સરધા નહી તેથી આત્માનું કામ થાય નહીં. Jain Education International 2010_03 ૩૬૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy