SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ રમણતા નથી અને વ્યવહાર માર્ગનું ક્રિયા કષ્ટાદિક તપ જપ કરે છે તો તેથી લોક તેને તપસી કહે તથા વ્યવહારમાર્ગમાં ચાલવાવાળા પણ જાણે લોક તેને ઘણું વખાણે પરમાત્માએ તેને અધર્મી કહ્યો છે પણ તેને ધર્મીમાં ગવષ્યો નથી. ૯૧૩ પ્રશ્ર કોઈ વંદનાને મસ્કોરે કર થી ન કરે તેના ઉપર સાધુએ કેવો ભાવ રાખવો જોઈએ? ઉત્તર દશવૈકાલિક સૂત્રમાં અધ્યયન અમે બીજા ઉદ્દેશની ૩૦મી ગાથામાં કહ્યું છે કે, હું મારા મુનિઓ તમને કોઈ વંદના નમસ્કાર ન કરે તો તમે તેમના ઉપર ક્રોધ કરશો નહીં અને વંદનાદિક કરે તેથી હર્ષવાન થશો નહીં. એમ બંને વિશે સમભાવ મનને વિશે માન તો થકો સાધુ તપસ્વી સંયમને વિશે સ્થિર રહી. ૯૧૪ પ્રશ્ન ચાર પ્રકારનાં બંધ કહેલ છે તે કેવી રીતે? ઉત્તર શ્રીમદ્ રાજચંદ્ર પાને ૪૮૭મે કહ્યું છે કે પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગથી થાય છે. સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી થાય છે. ૯૧૫ પ્રશ્ન નિંદ્રા કયા કર્મને ઉદયે હોય? નિદ્રા દર્શનાવરણીય કર્મના ઉદયે અને મોહનીય કર્મની પ્રેરણાએ હોય છે. કારણ કે નિંદ્રાએ રતિનું સ્થાન છે. નિદ્રાથી પ્રાણી સુખ માને છે માટે મોહનીય કર્મની પ્રેરણાએ અને દર્શનાવરણીયના ઉદયે નિંદ્રા આવે અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે નિદ્રા મોહની ઉત્પત્તિથી નથી અને દર્શનાવરણીય કર્મના વિપાકથી તેની ઉત્પત્તિ છે અને શાતા વેદનીયનો ઉદયે પણ નિંદ્રા આવવાનો સંભવ છે. ઉત્તર L૩૫૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy