SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૯ પ્રશ્ન મનશુદ્ધિ કેવી રીતે થાય? ઉત્તર મનની મલિનતા દૂર કરે તો મન શુદ્ધિ થાય. મનની શુદ્ધિ ગુણાનુરાગ થયા સિવાય થતી નથી. જ્યાં સુધી દોષ દૃષ્ટિ હોય છે ત્યાં સુધી જ્ઞાન ધ્યાનાદિ ફળીભૂત થતાં નથી. દોષદષ્ટિમાં કષાયનો નિવાસ રહ્યો છે ય મનની મલિનતા હોય ત્યાં સુધી ગુણાનુરાગ પ્રગટ થતો નથી. માટે “સદ્ગુણ પ્રાપ્તિનો ઉપાય' માં કહ્યું છે કે બહુ ભણવાથી અથવા બહુ તપ કરવાથી, બહુ દાન દેવાથી શું થનાર છે? એકલા ગુણાનુરાગને શીખો કે જે સુખોનું ઉત્પત્તિ સ્થાન છે. ૯૧૦ પ્રશ્ર અજીર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર અજીર્ણ ચાર પ્રકારના છે. તપનું અજીર્ણ, જ્ઞાનનું અજીર્ણ, દેહને પરિતાપ કરવો અથવા પરને પરિતાપ ઉપજાવવો તે ક્રિયાનું અજીર્ણ અને અપચાદિક વિશુચિ થાય તે અન્નનું અજીર્ણ છે. ૯૧૧ પ્રશ્ર દુનિયાને દીપાવનાર કેટલા પુરૂષો છે? ઉત્તર વિદ્વાન પુરૂષો કહે છે કે આ દુનિયાને આ પૃથ્વીને દીપાવનાર આભૂષણરૂપ ત્રણ પુરૂષો છે. (૧) ભૂભૂષણનલીન હૈ અવર ઉપર્જત અનંત અગર્વ ધન, સબળક્ષમી, કોમળ વિદ્યાવંત. ૯૧૨ પ્રશ્ન જ્ઞાનની રમણતા વિના જપતપાદિ ક્રિયા કરે તેને માટે શું સમજવું? ઉત્તર પીતાંબળી હુકમમુનિવૃત શ્રી જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ નામનો ગ્રંથ તેમાં જ્ઞાનભૂષણમાં પાન ૯૫મે કહ્યું છે કે એક કરોડ ઉપવાસ કરીને જેટલાં કર્મ નારકીનાં નિર્જરે એટલાં કર્મજ્ઞાની એક નીચો લઈને ઉચો મૂકે તેટલામાં તેટલાં કર્મ નિર્જરે. એવું શ્રી વીર પરમાત્માએ વિવિહારપત્તિમાં કહ્યું છે. પા. ૧ર૭મે જ્ઞાનની ૩૫૪ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy