SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર છાનિરોધરતા એટલે કે ઈચ્છાનો નિરોધ કરવો અર્થાત્ ત્યાગ કરવો તે તપ છે. ૯૦૫ પ્રશ્ર ઉપવાસ કરવાવાળા અને ધ્યાન ધરવાવાળામાં વિશેષ તપસ્વી કોણ? ઉત્તર જો જીવ બહુ ઉપવાસાદિક કરે તિસકો તપસ્વી કહીએ છે યદ્યપિ કોઈ ધ્યાન અધ્યયનાદિક વિશેષ કરે છે તેને ઉત્કૃષ્ટ તપસ્વી કહે છે. ૯૦૬ પ્રશ્ન જ્ઞાન અને તપમાં પ્રથમ આવશ્યકતા કોની કોની છે? ઉત્તર ભગવંત મહાવીર દેવના હસ્તે દીક્ષિત જે જે સૂત્ર સિદ્ધાંત તે તમામ મુનિઓને પહેલું જ્ઞાન મેળવ્યા પછીતપશ્ચર્યા કરવાનો અધિકાર ચાલ્યો છે માટે પહેલું સૂત્ર જ્ઞાન કરવું સૂત્ર આખ્યાત્ ધર્મનું પહેલું પ્રતિપાદન કરવું. સૂત્ર આખ્યાત ધર્મ યા જ્ઞાન વિનાનો તપ નિસ્તેજ સોળમી કળાએ પણ અર્વે નહિ (શોભે નહિ) એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ૯૦૭ પ્રશ્ન જ્ઞાનીઓને વિશેષ કયા તપની જરૂર છે? ઉત્તર સૂત્રમાં બે પ્રકારના તપ કહ્યા છે બાહ્ય અને અત્યંતર. જ્ઞાની પુરૂષો બાહ્યતાનો યથાશક્તિ અંગીકાર કરે છે પણ અત્યંતર તપનું સેવન તો નિરંતર કર્યા જ કરે. ૯૦૮ પ્રશ્ન સાધુએ ગૃહસ્થ ઉપર મમત્વ ભાવ રાખવો કે સંસારીની ખટપટમાં ઉતરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ઉત્તર ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓના સુખદુઃખની ચિંતા વડે તપવાથી તારું અંત:કરણ સર્વદા વ્યાકુળ રહેશ અને તારા અને તેઓના પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ. ૩૫૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy