SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ પ્રશ્ન વિરહ દ્વારમાં જે જે ઠેકાણે વિરહકાળ કહ્યો છે તેનો અર્થ શું? ઉત્તર ઉત્તર જે ગતિનો કે જે જે બોલનો વિરહકાળ કહ્યો છે તેટલો કાળ તે સ્થિતિમાંથી વી બીજી ગતિમાં જાય નહિ અને બીજી ગતિમાંથી તેમાં આવીને ઉપજે નહિ તેનું નામ વિરહકાળ કહેવાય છે. ૮૯૫ પ્રશ્ન અકેવળી અને છાનો શો તફાવત છે? ઉત્તર અગિયારમાં ગુણઠાણા સુધી છદ્મસ્થ અને બારમા ગુણ ઠાણાવાળા અકેવળી એટલે છબસ્થથી વિશેષાહિયા કહેવાય. ૮૯૬ પ્રશ્ન રોગની ઉત્પત્તિ કેટલા કારણે થાય? ઠાણાંગ ઠાણે મે કહ્યું છે કે અતિઅશન (વધુ પડતો આહાર), અહિત આહાર અને આસન, અતિનિદ્રા, અતિજાગરણ, મળમૂત્રની ક્રિયાઓ રોકવાથી, અતિશય ચાલવાથી, પ્રતિકૂળ આહાર કરવાથી પાંચે ઈન્દ્રિયોને મર્યાદા બહારનો ઉપયોગ આ નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. ૮૯૭ પ્રશ્ર શ્રાવક સૂત્ર ભણે કે કેમ? ઉત્તર શ્રી નંદીજીમાં શ્રમણોપાસકને સૂયપરિગ્રહો કહ્યો છે માટે સૂત્ર ભણ્યા જણાય છે. એ અધિકાર નંદીજીમાં ઉપાસક દશાંગની હુંડીમાં છે અને અંતગડની હુંડીમાં પણ સાધુને ભણવાના અધિકારે એવો જ પાઠ કહ્યો છે એ ઉપરથી શ્રાવકને સૂત્ર ભણવું સિદ્ધ થાય છે. સૂત્રના ન્યાયથી શ્રાવકને સૂત્ર ભણવાનો અધિકાર ગુરૂગમ્યથી અને ગુરૂએ ભણાવાનો અધિકાર પાત્ર પ્રમાણે હોવો જોઈએ. ૮૯૮ પ્રશ્ન તીર્થંકરના બાર ગુણ કહ્યા છે તેમાં અપાયપગમાતિશયનો રૂપ૧ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy