SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર આ બંનેનો અર્થ એક જ છે. એટલે તે એક જ નામથી ઓળખાય છે તેને સૂત્રમાં પરમાણું પુદ્ગલના નામથી જ બોલાવેલ છે. ૮૮૧ પ્રશ્ન ભગવંત મહાવીરનો નિર્વાણ અઢાર દેશના રાજાએ કેમ જાણ્યો? ઉત્તર કેટલાક કહે છે કે અઢાર દેશના રાજા ચેડા-કોણિકની લડાઈમાંથી પાછા વળ્યા તે વખતે વળત ભગવંતના દર્શનાર્થે પાવાપુરીએ આવ્યા ને બીજે દિવસે ભગવંતે બે દિવસનો સંથારો કર્યો એટલે અઢાર દેશના રાજાઓ છઠ્ઠ તપ પૌષા કરીને ત્યાં રહ્યા. એમ કેટલાકનું કહેવું છે પણ તે વાત મળતી નથી કારણ કે તે લડાઈને અને ભગવંતના નિર્વાણને આંતરું છે માટે તે સંબંધ થયો નહિ. તીર્થકર નામકર્મના ઉપરાજણ કરેલ હોય તે જીવને તીર્થંકર નામ કર્મ ઉદય આવ્યું ક્યારે કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયે તીર્થકરપણું પામે, ત્રિલોકને વિશે પૂજનિક થાય, કેવળજ્ઞાન ઉપજ્યા પછી તીર્થકર નામકર્મ પ્રગટ થાય . સાખ પન્નવણાજી છાસઠ હજારું પદ - ૨૩મું કર્મ પ્રકૃતિના અધિકાર નામકર્મના ભેદમાં કહેલ છે. ૮૮૩ પ્રશ્ર ભગવંતે ગર્ભમાં અભિગ્રહ કર્યો ત્યારે ગર્ભ કેવડો હતો? ઉત્તર કલ્પસૂત્રમાં આ વિષે એક ગાથા છે. अह सत्तंमि मासे, गप्मत्थो चेव अभिग्रहण गिन्हे, नाहं समणो होइं अम्मा पियरे जिवतेहिं । મહાવીર સ્વામીનો ગર્ભ સાત માસનો હતો ત્યારે એવો અભિગ્રહ કર્યો કે માતાપિતા જ્યાં સુધી જીવે ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહીં. ૮૮૨ પ્રશ્ન [૩૪૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy