SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ કરું છું. એવો અર્થ જાણીને મિચ્છામી દુક્કડ કીધા પછી ફરી પાપ ન કરવું તે પાપની સાચી નિંદા કહેવાય. ૮૭૭ પ્રશ્ર ચોવીસત્યો એટલે શું? ઉત્તર ચોવીસત્યો તેના બે ભેદ છે. તેની વિધિ બે પ્રકારની છે. પ્રતિક્રમણમાં બીજા આવશ્યકમાં લોગસ્સ કહેવાથી ચોવીશ જિન સ્તવનરૂપ ચોવીસત્યો થયો કહેવાય. અને બીજી રીતે ઈરિયાવહી પડિકમવાની રીતે પણ ઈરિયાવહીને બદલે ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. આ બીજી વિધિનો ચોવીસત્યો છે. આ બીજી વિધિનો ચોવીસત્યો જ્યારે કરે ત્યારે થાય. ચાર લોગસ્સનો કાઉસગ્ન કર્યા બાદ ત્રણ નમોત્થણ કહેવા સુધીમાં ચોવીસત્યો કહેવાય છે. ૮૭૮ પ્રશ્ન ઉપવાસનો અર્થ શું છે? ઉત્તર ઉપ' નામ ઉપરાઠું થાવું, શાથી, પાપથી, “વાસ” નામ આત્મામાં આત્મિક ગુણનો વાસ કરવો એનું નામ ઉપવાસ उपावत्तेस्तु पापेज्यो वासत चैव गुणैः सहः उपवास सविज्ञेय सर्वे भोग विवर्जितं । ૮૭૯ પ્રશ્ર શ્રાવકનો અર્થ શું? ઉત્તર શ્રા' નામ શ્રદ્ધા, “વ' નામ વિવેક, “ક” નામ ક્રિયા-કરણી. આ ત્રણ ગુણ સહિત હોય તેને શ્રાવક કહેવાય. સાવક એટલે સા' નામ સાચું અને ‘વક' નામ વાક્ય એટલે સત્ય વાક્ય બોલવાવાળાને શ્રાવક કહેવાય. ૮૮૦ પ્રશ્ન પરમાણું અને પુગલ આ બંનેનો અર્થ એક જ છે કે આ બે વસ્તુ જુદી છે? ૩૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy