SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવું નિરવદ્ય જ છે. નિરવ આહાર કરે માટે નિરવદ્ય. ૮૬૭ પ્રશ્ર કોઈ એમ કહે છે કે પુણ્ય અને પાપ બેઉનો એકસમયે એકીસાથે બંધ ન હોય. જેમ તડકો અને છાંયો એ બેઉ ભેગા ન હોય તેમ પુણ્ય અને પાપ પણ ભેગા ન બાંધે? ઉત્તર ઉપર પ્રમાણે બોલતાં પ્રત્યે કહેવું કે સંપરાય બંધમાં એક બંધ હોય કે બે? અથવા કયે સમયે જીવને એક બંધ હોય તે કહો? દેવતાની ગતિનો બંધ પડે તે સમયે જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિનો બંધ છે કે નહીં? ત્યાં કોઈ એમ કહે કે સહચારી પ્રકૃતિ તે ન ગણવી. તેને એમ કહેવું કે ન ગણવી તેનું કારણ શું? તથા સહચારી વિના બીજી પ્રકૃતિ બાંધે છે કે નહિ? જે સમયે કોઈ જીવે મનુષ્ય ગતિ બાંધીને નીચ ગોત્ર બાંધ્યું તે ક્યો બંધ? તથા પ્રથમ સંઘયણ બાંધ્યું અને ચરમ સંડાણ બાંધ્યું તેનું શું કારણ? ઈત્યાદિ પુણ્ય પાપ બાંધવાના અનેક ભાગા સૂત્રોમાં તથા ગ્રંથોમાં દેખાય છે. ૮૬૮ પ્રશ્ન સૂક્ષ્મ નિગોદમાં દુઃખ કેટલું હશે? સૂક્ષ્મ નિગોદમાં અનંતદુઃખ છે. તેનું ઉદાહરણ કહે છે કે સાતમી નરકનું આઉખું તેવીશ સાગરોપમનું છે. તેવીશ સાગરોપમનો જેટલો સમય થાય તેટલી વાર સાતમીનારકમાં ઉત્કૃષ્ટા તેવીશ સાગરોપમના આઉખે કોઈક જીવ ઉપજે તેટલા ભવમાં જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ એકઠું કરીએ તેથી અનંતગણું દુ:ખ નિગોદનો જીવ એક સમયમાં ભોગવે છે. દૃષ્ટાંત જેમ કોઈ મનુષ્યને સાડાત્રણ ક્રોડ લોઢાની સુઈને અગ્નિથી તપાવીને કોઈક દેવતા સમકાલે એકી સાથે જોકે તેને જે વેદના થાય તેથી અનંતગુણી વેદના નિગોદના જીવન ઉત્તર (૩૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy