SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર અનંતાનુબંધીની ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમકિત મોહનીય એમ સાત પ્રકૃતિ છે. તેમાં ૩ દર્શનાવરણીય છે અને ૪ ચારિત્રાવરણીય છે. તે ૪ અને અપ્રત્યાખ્યાનની ચોકડી, પ્રત્યાખ્યાનની ચોકડી અને સંજ્વલનની ચોકડી મળી ૧૬ કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ એ નવનો કષાય મળી ર૫ પ્રકૃતિ ચારિત્રાવરણીયની છે. (એ ૨૮ પ્રકૃત્તિ મોહનીય કર્મની જાણવી.) ૮૫૧ પ્રશ્ન કૃષ્ણપક્ષી કોણ કહેવાય? ઉત્તર જેને સમકિતની પ્રાપ્તિ થઈ નથી અર્ધપૂગલ ઉપરનો કાળ જેને કહ્યો હોય તે જીવ કૃષ્ણપક્ષી કહેવાય. ૮પર પ્રશ્ન શુક્લપક્ષી ક્યારે કહેવાય? જે જીવ અર્ધપુગલમાં આવે અને સમકિતની પ્રાપ્તિ થાય તે જીવ શુક્લપક્ષી છે. ૮પ૩ પ્રશ્ન વિભંગજ્ઞાની દેવતા અવળું જાણે દેખે તે શા ન્યાયે? ઉત્તર દેવતાદિક અવળું જાણે તે શ્રદ્ધા આશ્રી સમજવું. દેવતાદિક સર્વ વિર્ભાગજ્ઞાનીઓ ખોટી શ્રદ્ધાને લઈને અવળું જાણે. ૮૫૪ પ્રશ્ર સ્ત્રીવેદમાં જ્ઞાન કેટલાં? ઉત્તર ભગવતી સૂત્ર શતક - ૬, ઉદ્દેશે બીજે સ્ત્રીવેદમાં પહેલાં ચાર જ્ઞાન કહ્યાં છે. ૮૫૫ પ્રશ્ન આવતીકાલના ભાવકેવલી જાણે ખરા પણ દેખે કેવી રીતે? ઉત્તર લોકમાં રહેલા પરમાણુંઓ જે જે ભાવે પરિણમવાના હોય તે તે ભાવ કેવલી દેખી શકે છે એ જ કેવલજ્ઞાન અને કેવલદર્શનની ખૂબી છે. ઉત્તર ૩૩૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy