SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - વેદ અક્ષર સ્વરૂપ છે એમ પ્રગટ છે અને અક્ષરનો સમૂહ તે તાલુ, કંઠ, દંત આદિ સ્થાનોથી પેદા થાય છે અને તાલુ આદિ સ્થાનો પુરૂષને જ હોય છે તેથી વેદ અપૌરૂષય સિદ્ધ થાય નહિં. આથી વેદાદિ શાસ્ત્રના કર્તા આ કથનથી દેહધારી સિદ્ધ થાય છે એટલે અક્ષરો નિરાકાર છે છતાં તેમની આકૃતિ બનાવવામાં આવે છે. તેમ નિરંજન નિરાકારની પણ મૂર્તિ બની શકે છે પરંતુ પરમેશ્વરની મૂર્તિ તો મુખ્યતાથી જે શાસ્ત્રના કથન કરનાર દેહધારી ઈશ્વરો થયા છે તેમની બનાવવામાં આવે છે. ૧૪. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા (સ્થાનકવાસી) ગ્રંથ રચનાનો હેતુ જણાવતાં મોહનલાલજી મહારાજ જણાવે છે કે જ્ઞાનની વૃદ્ધિ કરવાનો છે. કોઈની લાગણી દુઃખાવવાનો નથી. પ્રયોજકે પ્રશ્નોત્ત૨ના આધા૨ માટે શાસ્ત્રીય ગ્રંથ પાન નંબરનો ઉલ્લેખ કર્યો છે, કોઈ સૂત્રોમાં, પ્રશ્નોમાં ટીકાટબો કે ભાષ્યથી વ્યાકરણ આદિકના મતથી બીજી જ રીતે જોવામાં આવે તો વિચારવાન પુરૂષોએ ગ્રંથ કર્તા પ૨ દ૨ગુજર કરી તેનો સવળો વિચા૨ ક૨શે તો તે વાત ન્યાય બહાર જશે નહીં. ઉપરોક્ત નોંધને આધારે પ્રશ્નોત્તર ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે તો શાસ્ત્રની હકીકતો પામી શકાય. આ ગ્રંથ ૯ વિભાગમાં વહેંચાયેલો છે. દરેક વિભાગમાં ૧૦૮ પ્રશ્નો છે એટલે આ ગ્રંથમાં કુલ ૯૭૨ પ્રશ્નોત્તરનો સંગ્રહ છે. પ્રયોજકે પ્રશ્નોત્તરમાં સ્યાદ્વાદનો આધાર લીધો છે અને જૈન દર્શનના વિચારોને સરળ અને સુગ્રાહ્ય બનાવવાનો પ્રશસ્થ પ્રયત્ન આદર્યો છે. શ્રીપ્રશ્નોત્તર મોહનમાળા વિશે ગ્રંથને અંતે દુહામાં કેટલીક મહત્ત્વની વિગતો પ્રયોજન, રચનાસમય, તત્ત્વની શંકા સમાધાન અને ફળ શ્રુતિ દર્શાવીને અર્વાચીન સમયમાં પણ મધ્યકાલીન પરંપરાના આ લક્ષણોનું અનુસંધાન કર્યું છે. Jain Education International 2010_03 330 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy