SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ અને મિથ્યાત્વ, બંધ અને નિર્જરા, આશ્રવ અને સંવર, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ આ સઘળાંય તત્ત્વો આદિની સાંગોપાંગ સમજૂતી શ્રી જૈન શાસનમાં આપવામાં આવી છે. ૮૪૦ પ્રશ્ન આ (જેન) શાસનમાં શું ફરમાવવામાં આવ્યું છે? ઉત્તર ફરમાવવામાં આવ્યું છે કે આરાધ્ય આત્માઓની આરાધક આત્માઓએ આરાધના કરવી એ તેમની ફરજ છે. ૮૪૧ પ્રશ્ન ભગવાન મહાવીરના સત્તાવીશ ભવ કહેવાય છે તે કેવા? ઉત્તર એ તારકના જે સત્તાવીશ સ્કૂલ ભવો ગણાય છે તે તો સમ્યકત્વ પામ્યા પછીના છે. ૮૪૨ પ્રશ્ન શ્રી સિદ્ધ ભગવંત પહેલાં શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર કેમ? ઉત્તર કારણ કે બીજા આત્માઓ જે સિદ્ધ થયા તે પણ શ્રી અરિહંત ભગવાનની, શ્રી અરિહંત ભગવાને પ્રકાશિત કરેલા માર્ગની નિશ્રાએ બીજા ઉપકારી થયા એમાં ઉપકાર જિનેશ્વરદેવનો. ૮૪૩ પ્રશ્ન તીર્થકર દેવોનો આત્મા ઍવે ત્યારે ઈન્દ્રોનું શું થાય છે? ઉત્તર ત્યારે ઈન્દ્રોને થાય છે કે તારકનાથ એવા શ્રી તીર્થકર દેવરૂપ સૂર્ય ઉદયાભિમુખ થયો, ઈન્દ્રો એથી ખુશ થાય છે. સિંહાસનોથી ઊભા થાય છે ગર્ભમાં રહેલા ભગવાનની સ્તવના કરે છે. પ્રવચનધારાના પ્રશ્નો ટૂંકા અને ઉત્તર પણ સચોટ છે. જેના દર્શનનો પ્રશ્નોત્તર રૂપે પરિચય મેળવવા માટે પ્રવચન ધારાની સામગ્રી ખૂબ જ ઉપકારક છે. જૈન ધર્મને સમજવા અને શંકાઓનું નિવારણ કરવા માટે આ પ્રકારનું સાહિત્ય સમગ્ર જૈન સમાજને માટે નિયમિત અધ્યયન કરવાલાયક છે. ઘેર ૩૩૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy