SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે જે રીતે શરીરના કોઈપણ ભાગમાં ઘૂસેલો કાંટો દર્દદાયક છે એજ રીતે સાધક માટે મિથ્યાત્વ અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારું છે. ૮૩૭ પ્રશ્ન ફિલ્મી રાગોમાં સ્તવનાદિ બનાવવા યોગ્ય છે? ઉત્તર શાશ્વત ધર્મ ૧૯૬૨ જુલાઈ અંકમાં જૈન ગીતો ની પરંપરા લેખમાં ફિલ્મના શૃંગારાદિ ગીતો પર રચના કરવી વ્યર્થ છે એમ પ્રતિપાદન કર્યું છે અને વ્યાકરણના જ્ઞાનરહિત આત્માને રચના કરવાનો નિષેધ કર્યો છે. પણ વર્તમાનમાં આ વિષયમાં મતભેદ દેખાય છે. ૧૨. પ્રવચન ધારા જૈનશાસનના જગવિખ્યાત જ્યોર્તિધર વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ વ્યાખ્યાન રાશિઓમાંથી સમુદ્રધૃત પ્રવચન પ્રશ્નોત્તરોનું સંકલન પ્રવચન ધારા' નામથી પૂ. આચાર્યદેવી શ્રીમદ્ વિજયનરવાહનસૂરીશ્વરજીએ કર્યું છે. તેમાં જૈન દર્શનનો વિષયોને લગતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે. વર્ષ૯૨ના ૭મા અંકના કેટલાક પ્રશ્નોત્તરો અત્રે ઉદાહરણ રૂપે નોંધવામાં આવ્યા છે. ૮૩૮ પ્રશ્ન ૧૪૯૦ બીજું અને ત્રીજું ગુણસ્થાનક કોના માટે છે? ઉત્તર, બીજું ગુણસ્થાનક સાસ્વાદન નામનું અને ત્રીજું ગુણસ્થાનક સમ્યકત્વ-મિથ્યાત્વ નામનું અનુક્રમે પતન પામતા અને મિશ્ર ભાવવાળા આત્માઓ માટે છે. ૮૩૯ પ્રશ્ન જૈન શાસનમાં શેની સમજુતી આપવામાં આવી છે? ઉત્તર સંસાર અને મોક્ષ, જીવ અને અજીવ, જ્ઞાન અને અજ્ઞાન, ૩૩૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy