SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણથી વિરુદ્ધ ન હોય તત્વનો ઉપદેશ હોય તેને સ્વામી સામંતભદ્રજીએ શાસ્ત્ર કહ્યું છે. ૮૩૨ પ્રશ્ન ધર્મ ક્યાં સ્થિર રહે છે? ઉત્તર દઢ શ્રદ્ધાવાન એવા શુદ્ધ વ્યક્તિમાં જ ધર્મ સ્થિત રહે છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ૮૩૩ પ્રશ્ન દરિદ્ર કોણ છે? ઉત્તર જેની ભૌતિક પદાર્થો મેળવવાની ઈચ્છા એટલે કે તૃષ્ણા ઘણી મોટી એટલે કે ઘણી વધુ માત્રામાં દેખાતી હોય તે દરિદ્ર એટલે ગરીબ છે. પછી ભલે તે અબજપતિ હોય પરંતુ વધુમાં વધુ મેળવવા માટે પ્રયત્નશીલ હોય તેને દરિદ્ર સમજવો. છ ખંડનો અધિપતિ સુભમ ચક્રવર્તિ પણ ગરીબની ગણત્રીમાં મુકાયો હતો કેમ કે તેને સાતમો ખંડ મેળવવાની ઈચ્છા હતી, તૃષ્ણા હતી અને એ માટે પ્રયત્ન પણ કર્યો હતો. ૮૩૪ પ્રશ્ન નિયમસારમાં વ્યવહાર ભક્તિ કયા પ્રકારે બતાવેલ છે? મુક્તિ સુખને પામેલ પરમ પવિત્ર પુરૂષોના ગુણોને જાણીને તેમની પરમ ભક્તિ કરવી તેમનો ગુણાનુવાદ કરવો તે વ્યવહારનયથી ભક્તિ કહેવામાં આવે છે. ૮૩૫ પ્રશ્ન આવશ્યક શબ્દનો અર્થ શું છે? આવશ્યક કરવા જેવું હોવાથી ગુણોને વશ કરવાથી આવશ્યક. આવશ્યક નિર્યુક્તિ પૃ.૫૧માં કહ્યું છે કે - ગુણ શુન્ય આત્મામાં ગુણોનો વાસ કરવાથી આવશ્યક અર્થાત ગુણોની સાનિધ્યતામાં આત્માને કરે છે. ૮૩૬ પ્રશ્ન મિથ્યાત્વશલ્ય કોને કહેવાય? ઉત્તર વિપરીત દષ્ટિ રૂપ કાંટા શલ્ય જેવા છે. તે દુઃખનું કારણ ઉત્તર ઉત્તર ૩૩૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy