SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તો પછી જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા શું જોવાની જગત કંઈ પણ કહે પણ આત્મબંધન રહિત હશે તો સમાધિમય દશાપ્રાપ્ત કરતા હોય તો તેવું કરી લેવું અર્થાત્ કીર્તિ-અપકીર્તિથી બધા સમય માટે મુક્ત થઈ શકશે. (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્ર- ૧) સમાધિમય દશા પ્રાપ્ત કરવા માટે જગતથી પરાગમુખ બનીને આત્મ સન્મુખ બનવું આવશ્યક છે. આ જગતમાં લોકો તો પાટલી બદલું છે. ક્ષણવારમાં કુલો પાથરે અને ક્ષણવારમાં કાંટાથી રાહ વ્યાપ્ત કરી દે, નિંદાના પત્થરો ફેંકવા લાગી જાય આથી જગતથી વિમુખ બનીને શાસ્ત્રોક્ત આચરણ શુદ્ધવિશુદ્ધ ભાવથી કરવું એ સમાધિમય દશા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. શાસ્ત્રોક્ત વર્તનથી જ સમાધિમય દશા પ્રાપ્ત થશે. ૮૨૩ પ્રશ્ન ક્રિયા જ્ઞાનથી થાય છે કે જ્ઞાન, દર્શન બંન્નેથી? ઉત્તર દર્શન સિવાય જ્ઞાનની ઉત્પત્તિ હોતી નથી. જ્ઞાન સિવાય ક્રિયા થતી નથી આથી દર્શન તેમજ જ્ઞાનયુક્ત ક્રિયા જ વાસ્તવિક ક્રિયા છે. ૮૨૪ પ્રશ્ન અશુભ, શુભ તેમજ શુદ્ધની વ્યાખ્યા શું છે? ઉત્તર જે આત્મા માટે અહિતકારી છે તે અશુભ જે આતમ માટે હિતકારી છે તે શુભ છે. ૮૨૫ પ્રશ્ન શું કોણિક કુપુત્ર હતો? ના, કોણિક સુપુત્ર હતો. પણ એણે પૂર્વભવના નિયાણાના કારણે પિતા શ્રેણિકને પિંજરામાં નાંખ્યા હતા. સુયોગ્ય આત્મા દ્વારા પણ પૂર્વકૃત અશુભ કર્મના જોરે અયોગ્ય કૃત્ય થઈ જાય છે તેથી તે વ્યક્તિ અયોગ્ય નથી થઈ જતી. એ સૂક્ષ્મદષ્ટિથી ઉત્તર ૩૨૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy