SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચાડી દે છે માટે ચંદ્રમાને ઉદ્દેશીને કહેવામાં આવે છે. ૭૭૬ પ્રશ્ન સોનાનો સ્પર્શ સામાયિકમાં થઈ શકે છે તો રૂપિયાઓનો સ્પર્શ કરવાનો નિષેધ કેમ ? ઉત્તર ૭૭૭ પ્રશ્ન ઉત્તર ૭૭૮ પ્રશ્ન ઉત્તર ૭૦૯ પ્રશ્ન ઉત્તર . સોનાનો સ્પર્શ સામાયિકમાં કરવાનું વિધાન નથી, ચેન, વીંટી વગેરે ઉતારીને રાખવાનું વિધાન છે. ફક્ત બહેનો માટે સૌભાગ્ય ચિહ્ન ઉતારવાનું વ્યવહારથી નિષેધ હોવાથી સામાયિકમાં પણ તે પહેરી રાખવાનો નિષેધ નથી. શોભા વધારનારા આભૂષણો પહેરવાં એમના માટે પણ નિષેધ જ છે. રૂપિયાઓની સામાયિકમાં કોઈપણ આવશ્યકતા જ નથી માટે પ્રભાવનાદિમાં પણ રૂપિયાઓનો સ્પર્શ, સામાયિક, પૌષધમાં ન થવો જોઈએ. નિકાચિત કર્મનો નાશ કેવી રીતે થાય છે? નિકાચિત કર્મનો નાશ કરવા માટે શાસ્ત્રકારોએ તપરૂપ શસ્ત્રને બતાવ્યું છે. તપશ્ચર્યા દ્વારા નિકાચિત કર્મો પણ નષ્ટ કરી શકાય છે. કોઈ કર્મ નષ્ટ ન પણ થાય તો એની અશુભ ફળ આપવાની શક્તિ તો અચૂક નષ્ટ થઈ જ જાય છે. અનુબંધની શક્તિ નષ્ટ થઈ જાય છે. પાક્ષિક પ્રતિક્રમણમાં છીંકને અશુભ-શાસ્ત્ર કથનથી માન્યું છે કે પરંપરાથી? પરંપરાથી માનેલ છે, એકાંતે છીંક અશુભ નથી. શ્રી શ્રેણિક મહારાજાએ એકપણ વ્રત ન લેવા છતાં તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું ? તીર્થંકર ભગવંતની ભક્તિની ભાવના અને દ્રવ્યપૂજા અતૂટ શ્રદ્ધા દ્વારા કરવાથી તીર્થંક૨ નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. Jain Education International 2010_03 ૩૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy