SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. જિનવાણી ઉત્તરે લ્યો જાણી મુનિરાજશ્રી જયાનંદવિજયજીએ‘‘સમાધાન કી રશ્મિયાં અને સમાધાન કી રાહ ૫૨'’ એમ બે ગ્રંથો હિન્દી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે લખ્યા હતા તેનો અનુવાદ કીર્તિલાલ હાલચંદ વોરાએ ગુજરાતી ભાષામાં કર્યો છે. પરિણામે જૈન પ્રશ્નોત્તર સાહિત્યમાં અવનવા પ્રશ્નોત્તરોની સામગ્રી પ્રાપ્ત થઈ છે. કલિકાળના જીવોને જિનવાણીમાં શંકા થાય તે સ્વાભાવિક છે આવી શંકાના સમાધાનરૂપે વિવિધ પ્રશ્નોત્તરોનો આ ગ્રંથમાં સંચય થયો છે. જિનવાણી ગહન સહજ રીતે તેનો અર્થ બોધ થતો નથી. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમપણ ઓછાવત્તો હોય છે ત્યારે આ પ્રશ્નોત્તર દ્વારા જિનવાણીની ગહનતાની જગાએ સરળતાનો અનુભવ થાય છે. આ ગ્રંથમાં કુલ ૭૬૧ પ્રશ્નોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પૂ. મુનિશ્રીએ અનુક્રમમાં વિષયોનો પ્રશ્ન સાથે નિર્દેશ કરીને પ્રશ્નોત્તર વૈવિધ્યનો પ્રાથમિક પરિચય. ૭૭૪ પ્રશ્ન પોષદશમના ત્રણ એકાસણાનું કારણ શું છે ? નવમીએ કોઈ કલ્યાણક તો નથી? ઉત્તર સાકરના પાણીથી, ખીરથી અને સંપૂર્ણ રસોઈ દ્વારા ત્રણ એકાસણાની પ્રથા કોઈ ભાગ્યશાળી દ્વારા ચલાવવામાં આવી છે. એમાં કોઈ અયોગ્યતા નથી. નોમના દિવસે કલ્યાણકન હોવા છતાં તપ કરવું એ લાભનું કારણ છે. ૭૭૫ પ્રશ્ન સીમંધર સ્વામીને વંદના કહેવાનું ચંદ્રને જ કેમ કહેવામાં આવે છે ? સૂર્ય કેમ નહીં? રાત્રિ પ્રતિક્રમણની પૂર્ણતા મુખ્યવિધિથી સૂર્યોદયના પંદરવીશ મિનિટ પહેલાં થાય છે તે સમયે ચંદ્રમાજીની ઉપસ્થિતિ હોય છે અને તેઓ ત્યારે મહાવિદેહમાં જવાની તૈયારીમાં હોય છે માટે ખૂબ જ ઝડપથી આપણો સંદેશ ભગવાન સુધી ૩૧૭ ઉત્તર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy