SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર માને છે અર્થાત્ વેદવિધિવાક્યો ધર્મ છે એમ માને છે. આજે આપણે જોઈ રહ્યા છીએ. ક્રિશ્ચિયનો અને મુસલમાનો ધર્મનું લક્ષણ આત્માને દુર્ગતિમાં પડતો ધારી રાખે તે ધર્મ એમ કરતા નથી પણ કુરાન કે બાઈબલમાં કહેલું તે ધર્મ છે એમ માને છે. જૈન ધર્મમાં જ મધ્યસ્થ દષ્ટિવાળું આ ધર્મનું લક્ષણ જોવા મળે છે તે સિવાયના બીજા ધર્મ સંપ્રદાયોમાં મોટાભાગે આ ધર્મનું લક્ષણ જોવા મળતું નથી. (પા. નં. ૩૬૨) ૭૭૨ પ્રશ્ન કેવલધર્મ કે કેવલપુરૂષાર્થ કોઈપણ કાર્યમાં કારણ બને કે નહિં? નિશ્ચયનયની દૃષ્ટિએ કર્મ અને પુરૂષાર્થ એકબીજાથી નિરપેક્ષપણે સ્વતંત્ર કારણ મનાય છે. એ નય જે કાર્યમાં કર્મની પ્રધાનતા હોય તે કાર્યમાં કર્મને જ કારણ માને છે. અને જે કાર્યમાં પુરૂષ પ્રધાન હોય તે કાર્યમાં પુરૂષાર્થને જ કારણ માને છે. બીજાં કારણ હોવા છતાં નિશ્ચયનય જે સમથ હોય તેને જ કારણ માને છે એટલે નિશ્ચયનયની દૃષ્ટિએ કેવલ કર્મ કે કેવલ પુરૂષાર્થ તરીકે મનાય છે પરંતુ વ્યવહારનયની દષ્ટિએ પ્રત્યેક કાર્યમાં કર્મ અને પુરૂષાર્થ બંને પરસ્પર સાપેક્ષપણે કારણ તરીકે મનાય છે. ફક્ત ગોણ મુખ્યતા હોય છે. ઉત્કટ બળવાળું કારણ પ્રધાન ગણાય છે અને અલ્પ બળવાળું કારણ ગણ મનાય છે. (પા.ન. ૩૬૨). ૭૭૩ પ્રશ્ર લક્ષ્મી આદિની પ્રાપ્તમાં લાભતરાયાદિનો ક્ષયોપશમ કારણ છે કે શાતાવેદની આદિનો ઉદયકારણ છે? ઉત્તર લક્ષ્મી આદિની પ્રાપ્તિમાં લાભાંતરાયાદિનો ક્ષયોપશમ કારણ બને છે. (પા. નં. ૩૮૩) (૩૧૬) Jain Education International 2010.03 For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy