SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ બધું સ્વામીદ્રોહ આદિમાં આવે છે. (પા. નં. ૩૩૦) ૭૬૯ પ્રશ્ન પુષ્કરાવર્ત મેઘો આપણે કહીએ છીએ તો આ મેઘો કયા દેશમાં કઈ સીઝનમાં વરસતા હશે? તે બાબતની કંઈ સમજણ પડે તેવું જણાવવા કૃપા કરશોજી? ઉત્તર મોટા ભાગે પુષ્પરાવર્ત મેઘો ઉત્સર્પિણી કાલના બીજા આરાની શરૂઆતમાં વરસે છે. વર્તમાનમાં ભરતક્ષેત્રના ૩હજાર દેશમાંના કોઈપણ દેશમાં તે વરસવાનો સંભવ નથી. (પા. નં. ૩૪૩) ૭૭૦ પ્રશ્ર જૈન સંઘ શ્રમણ કે શ્રાવક પ્રદાન? સંઘ એટલે શું? ઉત્તર ભગવાન જિનેશ્વર દેવોનો ચતુર્વિધ સંઘ શ્રમણપ્રધાન છે એમ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે લખ્યું છે. સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો આધાર જે હોય તે સંઘ કહેવાય. પ્રવચન એટલે આગમો આગમની આજ્ઞાને માને જીવનમાં ઉતારવાનો ભાવ કરે તે ન ઉતરે તેનું દુઃખ અનુભવે અને આગમની આજ્ઞા માન્યા સિવાય ઉદ્ધાર નથી એમ માને. આગમને વફાદાર હોય, પ્રાણ જવા દે પણ ભગવાનના આગમ વિરૂદ્ધ એક શબ્દ પણ ન બોલે તે સંઘમાં છે. સંઘ સાતે ક્ષેત્રનો ભક્ત હોય અને દીનદુ:ખીની દયા કરતો હોય. ટૂંકમાં ભગવાનના કહેલા વાક્યોને વફાદારીપૂર્વક શિરોમાન્ય કરીને જીવે તે સંઘ. ૭૭૧ પ્રશ્ર આત્માને દુર્ગતિમાં પડતો ધારી રાખે તે ધર્મ આ જ અર્થ ધર્મનો દરેક ધર્મ સંપ્રદાયવાળા કરતા હશે? ઉત્તર વેદને માનનારા દરેક સંપ્રદાયો વેદવિહિત કાર્યો કરવા તે ધર્મ છે એમ માને છે. જેમ કે નોદના લક્ષણો ધર્મ એમ મીમાંસકો (૩૧૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy