SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૩ પ્રશ્ન ઉત્તર કમઠના ઉપસર્ગ વખતે ધરણેન્દ્ર તથા પદ્માવતીએ તે ઉપસર્ગનું ધારણ કર્યું હતું અને તે ઉપસર્ગને દૂર કરવા દ્વારા તેમણે તે ઉપસર્ગને દૂર કરવા સ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ આદિ કરી હતી તેથી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય શ્રી પાર્શ્વનાથાય નમ : એ નામનો જાપ થયો છે એમ લાગે છે. ઉત્તર મરતી વખતે બેભાન અવસ્થામાં તેને ધર્મ સંભળાવવાથી લાભ શું? બેભાન અવસ્થાના કાળમાં પણ વચમાં કદાચ સભાન અવસ્થા આવી જાય અને બે શબ્દો કાને પડી જાય તે શુભ અધ્યવસાય આવી જાય તો તે જીવનું કલ્યાણ થઈ જાય. એ બુદ્ધિ હોવાથી તેવી અવસ્થામાં પણ ધર્મ સંભળાવાય છે અને સાંભળનારને આ રીતે કોઈવાર લાભ થવાનો સંભવ છે. (પા. નં. ૩૧૪) ૭૬૪ પ્રશ્ન મરેલાની પાછળ જે દાનાદિક ધર્મ કરાય છે તેથી તે મરનારને શું લાભ ? મરનાર જીવતો હોય તે કાળમાં દાનાદિ ક૨વાનું તેને કહ્યું હોય અને તે તેની અનુમોદના કરે તો તેને એ લાભ મળે છે અથવા મરનાર મરીને દેવગતિમાં ઉત્પન્ન થયો હોય અને ત્યાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે ને તેથી જાણે કે મારી પાછળ આ લોકો દાનપુણ્ય કરી રહ્યા છે. તે જોઈને રાજી થાય તો તેને તે અપેક્ષાએ પણ લાભ થાય છે. પણ મરનારે મરતી વખતે કોઈના કહેલા દાનપુણ્યની અનુમોદના આદિ કરીન હોય તેમજ તેનો રાજીપો પણ ન હોય તો તે મરનારને તેની પાછળ ગમે તેટલું દાન પુણ્ય કરવા છતાં કાંઈપણ લાભ ન થાય. મરેલા પાછળ દાનપુણ્ય કરનાર તે દાનપુણ્ય ક૨વાની Jain Education International 2010_03 ૩૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy