SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલના સંયોગથી જીવમાં ઔદયિક ભાવ હોય છે તેમ જીવના સંયોગથી પુદ્ગલમાં પણ ઓદયિકભાવ સમજી લેવો. ૭૫૩ પ્રશ્ન શ્રી શાંતિનાથ ભગવાનની થીયમાં ૪થી થયમાં ક્રોડવદન શુકરો રૂઢો આવે છે તો તે ક્રોડવદન એટલે શું? વળી તે જ થોયમાં “જક્ષ ગરૂડ વામ પાણીએ લખેલ છે તો પાણીએ એટલે શું? ઘણા તો વામ પ્રાણીએ બોલે છે. ઉત્તર ક્રોડવદન એટલે સુવરના જેવા મુખવાળો પાણીનો અર્થ હાથ થાય છે. પ્રાણીએ જે બોલે છે તે અશુદ્ધ છે. ૭૫૪ પ્રશ્ર શ્રી ઉદયરતનની માનની સક્ઝાયમાં માન કર્યું જે રાવણે તે તો રામે માર્યો રે એમ લખેલ છે ત્યારે કર્મ પચ્ચીસની સઝાયમાં વીસ ભૂજા દશ મસ્તક હતા લક્ષ્મણે રાવણ માર્યો રે એમ લખેલ છે તેમાં સાચું શું? રાવણને રામે માર્યો કે લક્ષ્મણે માર્યો? હકીકતમાં લક્ષ્મણે રાવણને માર્યો છે માનની સક્ઝાયમાં રામે માર્યાનું લખ્યું છે તે મોટાને જશ મળે તે ન્યાયથી સમજવું. સૈન્ય લડાઈ જીતે છતાં રાજા લડાઈ જીત્યો એમ છે તેમ અહીં પણ સમજવું. (પા. નં. ર૬૨). જ્ઞાનવિચાર ઉત્તર ૭૫૫ પ્રશ્ન શ્રુતજ્ઞાનના નાશના કારણ કયા છે? ઉત્તર મિથ્યાત્વ ભવાંતર કેવલજ્ઞાન બીમારી, પ્રમાદ આદિ કારણો શ્રુતના નાશ કરે છે. ૭૫૬ પ્રશ્ન અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ભેદ શું? ઉત્તર મિથ્યાત્વયુક્ત જ્ઞાન વિભૃગજ્ઞાન કહેવાય છે અને સમકિતજ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે. (પા. નં. ૨૬૫) ( ૩૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy