SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૧ પ્રશ્ન ઉત્તર ૭૫૨ પ્રશ્ન ઉત્તર બ્રાહ્ય રિદ્ધિ જોઈને તે રિદ્ધિને મેળવવાના રાગથી થઈ હોય તો તે નિયાણું કહેવાય અને તે દુષ્ટ જ ગણાય. પરંતુ હું અનેક જીવોના હિતનો કરનારો થાઉં, અનેક જીવોને મોક્ષ સુખ પ્રાપ્ત કરાવનારો થાઉં અને તેમાં કારણ તરીકે એકાન્ત હિતક૨ મોક્ષમાર્ગની દેશના દેનારો થાઉં આવા શુભ ઈરાદાથી હું તીર્થંકર થાઉં એવી ઈચ્છા એ નિયાણું ન ગણાય એવી ઈચ્છા તો પ્રશસ્ત ગણાય. જે ઈચ્છામાં સહેજ પણ પૌદ્ગલિકરાગની ગંધ હોય તે નિયાણું ગણાય. પણ જેમાં કોઈપણ જાતનો પૌદ્ગલિક રાગ ન હોય તેવી ઈચ્છા યા તો માંગણી નિયાણું ન ગણાય એટલા જ માટે ‘‘આરૂગબોહિલાભ સમાહિવર મુતમં દિંતુ'' આદિ સ્વરૂપ ભગવાન પાસે કરતી માંગણીને શાસ્ત્રકાર ભગવંતોએ નિયાણાં તરીકે ગણાવી નથી પરંતુ પ્રશસ્ત ગણી છે. ,, ભગવાન પાસે જય વીયરાય સૂત્ર દ્વારા ભવનિર્વેદ આદિની માંગણી કોને ક૨વાની છે ? જય વીયરાય સૂત્ર દ્વારા ભવનિર્વેદ આદિની માંગણી છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનક સુધીના દરેક આત્માએ કરવાની હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડીને ઉપરની ભૂમિકામાં રહેલા મહાત્માઓને એ બધી માંગણી કરવાની હોતી નથી. (પા. નં.૨૪૫) પ્રશમરતિ પ્રકરણમાં પુદ્ગલમાં ઔદયિક અને પારિણામિક એમ બે ભાવ કહ્યા છે તો તેમાં ઔયિક ભાવ શી રીતે ઘટાવવો? જીવયુક્ત પુદ્ગલમાં ઔયિક ભાવ કહેવાય છે જેમ Jain Education International 2010_03 ૩૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy