SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ અને મોં સિવાય બીજા કોઈપણ અંગ હલાવાય નહિ કારણ કે તેમાં આઉટ્ટણપસારણનો આગાર નથી એ એકલઠાણું ઠામ ચોવિહારથી થાય છે. (પા. નં. ૨૩૪) આવશ્યક સૂત્ર ૭૪૮ પ્રશ્ન નમો અરિહંતાણ આદિ પૂરા નવકાર નમસ્કાર મંત્ર છે કે સૂત્ર છે? મંત્ર ઔર સૂત્ર કે અર્થમેં ક્યા તફાવત પડતા હૈ? ઉત્તર નમો અરિહંતાણ આદિ પૂરો નવકાર મંત્ર પણ છે અને સૂત્ર પણ છે. જેનાથી મનનું રક્ષણ થાય તે મંત્ર કહેવાય. નવકારથી મનનું રક્ષણ થઈ શકે છે માટે તે મંત્ર કહેવાય છે. જીવ નવકારના આલંબનથી મનને અશુભ માર્ગોમાં જતું રોકીને શુભમાં રાખે છે આને જ મનનું રક્ષણ કહેવાય છે. ગણધર દેવોથી રચાયેલા બધા સૂત્રો પણ મંત્ર તરીકે કહી શકાય છે કેમ કે તેના આલંબનથી જીવો મનને અશુભમાં જતું રોકી શુભમાં સ્થિર કરે છે. ગણધરદેવ આદિથી દશ પૂર્વધર સુધીના આચાર્યો દ્વારા રચાયેલા ગ્રંથોને સૂત્ર કહેવાય છે. ૭૪૯ પ્રશ્ર સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં ઈક્કોવિ નમુક્કારો' આ ગાથાનું તાત્પર્ય શું છે? સિદ્ધાંતમાં કહેલ વિધિ મુજબ એકપણ નમસ્કાર જો વર્ધમાન સ્વામીને કરવામાં આવે તો તે નમસ્કાર અવશ્ય અર્ધપુગલ પરાવર્તની અંદર સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ આદિને પ્રાપ્ત કરાવી પરંપરાએ સંસાર સાગરને તારવામાં મજબૂત સ્વભાવવાળો બને છે. (પા. નં. ૨૪૨) ૭૫૦ પ્રશ્ન હું તીર્થકર થાઉં એ ઈચ્છા નિયાણું કહેવાય કે નહિ? ઉત્તર હું તીર્થકર થાઉં એ ઈચ્છા જો તીર્થકરના સમવસરણ આદિની ઉત્તર ૩૦૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy