SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મણજી પણ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. આ વાત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રના ૭માં પર્વમાં આવે છે. રાવણ તીર્થકર થશે ત્યારે સીતાજીનો જીવ તેમના ગણધર થઈને મોક્ષમાં જશે. ૭૪૨ પ્રશ્ન શ્રી કૃષ્ણ મહારાજા મૃત્યુ સમયે સમભાવમાં રહેલા હોવા છતાં પણ (કેવલી ભગવંતના વચન ઉપર શ્રદ્ધા હોવાથી) મૃત્યુ બાદ અશુભયોનિમાં કેમ ગયા હશે? ઉત્તર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા આવ્યા પહેલા શ્રી કૃષ્ણ મહારાજાએ નરકનું આયુષ્ય બાંધ્યું હતું તેથી તેઓ મૃત્યુબાદ નરકગતિમાં ગયા હતા. ગતિ એવી મતિ એ ન્યાયે છેલ્લા અંતમુહૂર્તમાં સમભાવ ચાલ્યો ગયો હતો અને વિષમભાવ આવી ગયો હતો. છેલ્લા અંતમુહૂર્તમાં રૌદ્રધ્યાનમાં હતાં અને મરણ પણ રૌદ્રધ્યાનની હાજરીમાં થયું હતું. (પા. નં. ૨૦૨) પચ્ચક્ખાણ ૭૪૩ પ્રશ્ન રાતના તિવિહારના પચ્ચકખાણવાળા રાતના ૧૨ વાગ્યા સુધીમાં ગમે તેટલીવાર પાણી વાપરે તો પચ્ચખાણનો ભંગ થાય કે નહિ ? ઉત્તર ના, ત્યાં પચ્ચખાણનો ભંગ થતો નથી. ૭૪૪ પ્રશ્ન ઈજેકશન કે એનીમા ચોવિહારાદિનું પચ્ચખાણ ભોગે કે નહિ? ઉત્તર ચઉવિહાર આદિમાં ચાર આહારના કવલાહાર રૂપે પચ્ચખાણ છે. ઈજેકશન કે એનીમા કવલાહાર નથી તેથી ઈજેકશન કે એનીમાથી ચઉવિહાર આદિનું પચ્ચખાણ ભાગે નહિં. ૩૦૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy