SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૭૧૬ પ્રશ્ન અધિકાર કયા કયા ઠેકાણે છે? શ્રી નંદી સૂત્રનાં વચન પ્રમાણે શ્રી સ્કંદિલાચાર્યે મથુરામાં શાસ્ત્રનો અનુયોગ પ્રવર્તાવ્યો. તે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયો ન હતો પણ શ્રી યોગશાસ્ત્ર અને જ્યોતિષ્કરંડકના વયનો ભાવાર્થ એવો થાય ખરો કે બંને સ્થાને લખાયાં. અતિચારમાં બોલાય છે કે વીજ દીવાતથી ઉજેહી લાગી તો વીજળી અચિત્ત કે સચિત્ત? અને તે પુદ્ગલો વિસ્મસા કે પ્રયોગસા? અતિચારમાં ગણાવેલી વીજલી પ્રયોગકૃત અને સચિત ગણવી. જો કે શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિના ચોથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીએ તો અચિત્ત વીજળી હોય એવો અર્થ નીકળે ઉત્તર છે. ૧૦. પ્રશ્નોત્તર કર્ણિકા પ. પૂ.પં. શ્રી નરવાહનવિજયજીએ જૈન દર્શનના અભ્યાસ વિષયક પ્રશ્નોત્તરીના ૧૧ ગ્રંથો જનતાને ચરણે ધર્યા છે. આ સાહિત્યના વિકાસમાં “કલ્યાણ' માસિકનું પ્રદાન નોંધપાત્ર છે. કલ્યાણ માસિકમાં પ્રશ્નોત્તર વિભાગ શરૂ થયો હતો અને તે વિભાગના વિવિધ વિષયોને સ્પર્શતા પ્રશ્નોના ઉત્તરોનું વિષયવાર સંકલન કરીને પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી, પૂ. મુનિરાજશ્રી નરવાહનવિજયજી અને પૂ. મુનિરાજ શ્રી જયદર્શનવિજયજીએ પ્રશ્નોત્તર કર્ણિકાનું બે ભાગમાં સંપાદન કર્યું છે. પ્રશ્નોત્તર સાહિત્યમાં સામાન્ય પ્રશ્નો વિશેના ગ્રંથોની સાથે ચોક્કસ વિષયને અનુલક્ષીને સંપાદિત ઉપરોક્ત ગ્રંથ જૈનદર્શનના વિચારોનું સ્પષ્ટીકરણ કરીને રત્નત્રયીની આરાધનામાં પૂરકને પોષક બને તેમ છે. વિચાર માત્ર વિચાર ન રહેતાં આચારમાં પરિણમે તે માટે શંકા-કુશંકા દૂર થાય એ અત્યંત આવશ્યક છે. પ્રશ્નોત્તર ૨૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy