SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ના, કારણ કે પ્રભુમાર્ગની દેશના સાંભળવાનો સર્વ કોઈને હક છે, તે સ્થાનમાં વેર-વિરોધ ભૂલવો જોઈએ. પ્રભુના સમવસરણમાં ૩૬૩ પાખંડીઓ આવતા હતા. જો કે તેઓ પામવાનું વસ્તુતઃ પામતા નહોતા પણ પ્રભુ વચનરૂપ વર્ષાદ ભવ્યાત્માઓનો કોમલ હૃદયરૂપી ભવ્યભૂમિમાં ઉતારી શકતા હતા. ૬૭૫ પ્રશ્ન મોક્ષનું બીજ ક્યારે વવાય? સમ્યકત્વ પામતાં મોક્ષનું બીજ વાવી શકાય છે. ૬૭૬ પ્રશ્ન ગુરૂની કિંમત કોણ કરી શકે? ઉત્તર કેવળજ્ઞાન, કેવળદર્શન તેમજ વીતરાગતાની જેને કિંમત હોય તે જ ગુરૂની વાસ્તવિક કિંમત કરી શકે છે. સમકિત દાતા ગુરૂવર્યોનો પ્રતિઉપકાર ક્રોડક્રોડભવે કોઈપણ રીતિએ વળી શકતો નથી. ૬૭૭ પ્રશ્ન નો આગમ એટલે શું? ઉત્તર આગમ એટલે જ્ઞાન “ના” શબ્દથી જ્ઞાનના બે ભેદ પડે છે ક્રિયામિશ્રજ્ઞાન અને ક્રિયાશૂન્યજ્ઞાન અને તે જ્ઞાન દ્રવ્ય અને ભાવ એ બંને નિક્ષેપમાં વહેંચાઈ જાય છે. ભાવનિક્ષેપનો આગમ લેવું હોય તો ક્રિયામિશ્રજ્ઞાન લેવાથી નો શબ્દનો મિશ્ર અર્થ લેવો અને દ્રવ્યનિક્ષેપનો આગમ લેવું હોય તો ના” શબ્દનો અર્થ શૂન્ય એટલે કે ક્રિયાશૂન્ય જ્ઞાન. ૬૭૮ પ્રશ્ન જેને શાસનમાં શત્રુ તરીકે કોણ છે? ઉત્તર જેને શાસનમાં કર્મ સિવાય અન્યને શત્રુ ગણ્યો જ નથી. ૬૭૯ પ્રશ્ન અંધભક્ત કોણ કહેવાય? ઉત્તર જેમ કૃષ્ણને માનનારા કૃષ્ણની મૂર્તિઓને નમે અને નાટકમાં ૨૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy