SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૬૬૬ પ્રશ્ન કેવળજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે? ઉત્તર હા, આપે શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે એવું જાણે છતાં પોતાના પુત્ર નામે મરિચી ભવિષ્યમાં પરિણામ, વેષ અને તરૂપ ચારિત્ર પ્રવૃત્તિથી જરૂર પડશે. ઉસૂત્રની પ્રરૂપણા કરી અનેકોને ઉન્માર્ગગામી બનાવશે એમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતિપણું સમર્પણ કર્યું આવા અનેક દાખલાઓ શાસ્ત્રમાં મોજુદ છે. ૬૬૭ પ્રશ્ન યથા પ્રવૃત્તિકરણ એટલે શું? શાસ્ત્રોક્ત રીતિએ સંવર કે નિર્જરાના પરિણામે વગરની બધી દ્રવ્ય પ્રવૃત્તિઓ તે યથા પ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે. દૃષ્ટાંત તરીકે અભવ્ય જીવ દેવલોક, પૂજા, રાજાપણું વગેરેની લાલચે જ નવકાર મંત્રનો પહેલો અક્ષર નવકાર બોલે અને પૂરો કરે તેમાં પણ યથા પ્રવૃત્તિકરણ થઈ ગયું છે અને તેથી જ જગતના જીવોની મોક્ષસુખ આત્મકલ્યાણાદિની અપેક્ષા વગરની બધી સર્વજ્ઞ ભાષિત ક્રિયાઓ યથાપ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે. ૬૬૮ પ્રશ્ન અર્થ દંડ અને અનર્થ દંડમાં ફેરશો? ઉત્તર સ્વાર્થ ઘર-કુટુંબ-કબીલા પુત્રાદિ પૂરતું કરવામાં આવે તે અર્થ દંડ અને તે સિવાય કરે તે અનર્થદંડ. ૬૬૯ પ્રશ્ન છેદસૂત્ર એટલે શું? ઉત્તર અપરિણત અને અતિપરિણતને છેદ એટલે કે બાદ કરીને પરિણતની પરીક્ષા કરીને એકાંતમાં દેવા યોગ્ય સૂત્ર તેનું નામ છેદસૂત્ર. પરીક્ષાના વિધાનમાં ગુરૂ મહારાજ કહે છે કે કેરીઓ ખાવી છે એવું સમુદાયમાં જણાવે ત્યારે તે વાતમાં ૨૮૫) (૨૮૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy