SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે ઉકાળેલું પાણી કેમ ન વપરાય? ઉત્તર શ્રી તીર્થંકર મહારાજના જન્માભિષેક વખતે યોજના પ્રમાણના કરોડો કળશોથી કરેલો અભિષેક સચિત પાણીનો હતો અને દીક્ષા અભિષેક વખતે પણ તેવો જ અભિષેક હતો માટે શ્રી જિનપૂજામાં અચિત જલ વપરાતું નથી. તેમજ અચિત જલનો અભિષેક કરવાથી સમગ્રની વિરાધના ન પણ થાય જેઓને સચિતને અડવાનો નિયમ હોય તેને સચિતથી અભિષેક કરવાનો હોતો નથી. ૬૫૨ પ્રશ્ન પ્રતિક્રમણ સામાયિક લેવાનું સાત લાખ, વંદિતા સૂત્ર, શાંતિ વગેરેમાં જે ઘીનો ચઢાવો બોલાય છે તેના દ્રવ્યથી કટાસણાં ચરવળાં સંથારીયા મુહપત્તિ આદિ પૌષધ સામાયિકના ઉપકરણો લાવી શકાય કે કેમ? ઉત્તર ન લાવી શકાય અર્થાત્ જ્ઞાનના સાધનોમાં તેનો ઉપયોગ થઈ શકે. ૬૫૩ પ્રશ્ર પ્રભુપૂજા કરતી વખતે તે ભગવાનની પ્રતિમાના પૂજન માટે કુલો ન મળી શકે તો લવિંગ ચઢાવી શકાય કે નહિ? ઉત્તર ફુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જ જોઈએ. પૂરેપૂરો શ્રમ લઈને કરવી જોઈએ તેટલી સઘળી મહેનત લઈએ અને આપણાં પ્રમાદનું જરા પણ કારણ ન રાખીએ તો છતાં જો કુલ નહિ જ મળી શકતા હોય તો લવિંગ ચઢાવી શકાય. એનો અર્થ એ નથી કે ફૂલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવિંગ ચઢાવે જવા! ૬૫૪ પ્રશ્ન સૂર્ય ઉદય થયા પછી નવકારશી આદિનું પચ્ચકખાણ લેવાય કે નહિ? (૨૮૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy