SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અજવાળું પણ તે ત્રણેય કલ્યાણકોમાં થાય છે માટે ધર્મિષ્ઠોએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવામાં છે. ૬૪૮ પ્રશ્ન પૂજારી વિગેરેને ફળ નેવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યનો દોષ લાગે નહિ? ઉત્તર પૂજારી, માલી વિગેરેને મહેનતની નોકરી તરીકે આપવામાં આવે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે નહિં પણ જો મંદિરમાં કામ કરતો ન હોય અને માત્ર લાજ શરમથી આપવામાં આવે તો પૂજારી વિગેરે અને આપનાર અગર વહીવટ કરનાર બંનેને અનુક્રમે એકને દેવદ્રવ્યના ભક્ષણનો એકને દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાનો દોષ લાગે છે. ૬૪૯ પ્રશ્ન જગતના જીવોએ મરણની બાબતમાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાં મૂક્યા છે તે કેવી રીતે? ઉત્તર એ કથન પણ અહિંજ લાગુ થાય છે. એક ભવના મરણથી બચવા માટે અનેક પ્રકારના સાધનો અને તૈયારીઓ લોકોથી રખાય જ્યારે ભાવિના અનંત મરણોથી બચવા માટે શું કરવું એનો સ્વપ્નમાંયે વિચાર સરખો પણ ન થાય તો ત્યાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવું નહિં તો બીજું શું! ૬૫૦ પ્રશ્ર સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય? ઉત્તર શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં અસંખ્ય યોગોમાં સ્વાધ્યાય એ પરમ તપ છે. સ્વાધ્યાય કરવાથી આત્માની પરિણતિ ઘણી સુંદર રહે છે. પ્રશસ્ત ધ્યાનમાં અને વૈરાગ્યભાવની પુષ્ટિમાં સ્વાધ્યાય પરમ કઠણ છે. ૬૫૧ પ્રશ્ન પ્રભુ પૂજનમાં પ્રક્ષાલન માટે કાચું પાણી વપરાય છે તેને ( ૨૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy