SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તો આજનો બધો કંકાશ શમી જાય ખરો કે નહિ? ઉત્તર ના, શમે નહિ. પરંતુ વાસ્તવિક કલેશ દાવાનળનો દાખવવારે વધે રાષ્ટ્રહિત માટે આજે ધર્મને જ તિલાંજલિ અપાઈ છે. સમાજ કે રાષ્ટ્રહિત માટે ધર્મને ધક્કો મારવો એ મનુષ્યની મૂર્ખાઈ છે. રાષ્ટ્ર અને સમાજ કર્મબંધનોના કારણો છે. જ્યારે શુદ્ધધર્મ સંવરને નિર્જરારૂપ હોય છે તેમને ઉપાદેય તરીકે વિભાગ કરવો જ પડશે. ૬૪૬ પ્રશ્ન ઉપધાનમાં પ્રવેશ અને તેની સમાપ્તિ અવસે માળામાં બોલતા ઘીની ઉપજ જ્ઞાન ખાતામાં નહિ લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે? ઉત્તર ઉપધાન એ જ્ઞાનારાધન અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં જઈ શકે એમ માનતા હો પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધી બધી ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ૬૪૭ પ્રશ્ન સ્વપ્નાની ઉપજને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે તો ફેરફાર કેમ ન થઈ શકે ? ઉત્તર અર્હત્ પરમાત્માની માતાએ સ્વપ્ન દેખ્યા હતાં એટલે વસ્તુતઃ તેથી સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈંદ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહદ્ ભગવન કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગતમાં ૨૭૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy