SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસામાં ન કરી શકાય તેથી તથા ચોમાસામાં પર્વતમાં જીવોત્પત્તિ પણ વિશેષ હોવાથી ઉપર ન ચઢી શકાય. તીર્થકર ભગવાનોનું સમવસરણ પણ ચોમાસામાં મુખ્યતાએ થતું નથી. ૬૪૧ પ્રશ્ન નવગ્રહોમાં સમકિતી કયા તથા મિથ્યાત્વી કયા? કયા શાસ્ત્રના આધારે તે માનવું? કાલા ગોરા ક્ષેત્રપાલ સમકિતી છે કે મિથ્યાત્વી? ઉત્તર ગ્રહોના વિમાનોમાં શાશ્વત જિન ચૈત્ય હોવાથી અને તેની આશાતના તેઓ ટાળતા હોવાથી તથા દીક્ષા પંચાશકમાં અને પ્રતિષ્ઠા વિધિમાં ગ્રહોનાં આલ્વાન તથા નન્દાસ્તવે ધર્માનુષ્ઠાનમાં ગ્રહોની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. કાલાગોરા નામના ક્ષેત્રપાલ ભૈરવનો કોઈ તેવા મુખ્ય ગ્રંથોમાં લેખ નથી. ૬૪૨ પ્રશ્ન નવગ્રહોને માનવા કે નહિ? ઉત્તર સાધર્મિક તરીકે માનવામાં અડચણ જણાતી નથી. ૬૪૩ પ્રશ્ન જાવજીવ શેરડી ત્યાગ હોય તો તે વરસી તપનાં પારણે શેરડીનો રસ વાપરે કે નહિ? અગર શું વાપરે? ઉત્તર સાકરનું પાણી વાપરે, શેરડીનો રસ ન વાપરે. ૬૪૪ પ્રશ્ન દેરાસર જેવી બાબતોમાં પણ માત્ર ઉપદેશ અપાય કે આદેશ અપાય ખરો? ઉત્તર કારણસર તેમાં પણ કરવું, કરાવવું પડે છે અને અનુમોદવું તો હંમેશા છે. પણ વગર કારણે તો મુખ્યમાર્ગ કરવાનો હોયને તે મુખ્યમાર્ગ તો ઉપદેશમાં જ છે. ૬૪૫ પ્રશ્ર રાષ્ટ્રહિત અને સમાજહિતને સાચવીને ખરો ધર્મ જળવાય ૨૭૮ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy