SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર (૧) જીવ હિંસા, (૨) જૂઠું બોલવું, (૩) ચોરી કરવી, (૪) સ્ત્રી સંભોગરૂપ મૈથુન કરવું, (૫) પરિગ્રહ રાખવો, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન એટલે કોઈને આળ આપવું, (૧૪) પૈશુન્ય, (૧૫) બીજાની નિંદા કરવી, (૧૬) રતિ અરતિ, (૧૭) માયા મૃષાવાદ (૧૮) મિથ્યાદર્શન શલ્ય એટલે કુદેવ, કુગુરૂ, કુધર્મ આ ત્રણને સુદેવ, સુગુરૂ, સુધર્મરૂપે માનવા જ્યાં સુધી જીવ આ અઢારે પાપોને સેવે છે ત્યાં સુધી એને પુર્નજન્મ થાય છે. ૬ર૮ પ્રશ્ન જો પોતાના આત્માના ગુણોથી જ મોક્ષ થશે ત્યારે તીર્થકર ભગવાનની ભક્તિ કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર તીર્થકર ભગવંતની ભક્તિ કરવામાં તીર્થકર ભગવંત નિમિત્ત કારણ છે. નિમિત્ત વગર પોતાના આત્માના ગુણરૂપ ઉપાદાન કારણ કદીપણ ફળ આપતા નથી. જ્યારે તીર્થકર નિમિત્તભૂત થાય છે ત્યારે ભક્તિરૂપ ઉપાદાન કારણ પ્રગટ થાય છે. એનાથી જ આત્માના બધા ગુણો પ્રગટ થાય છે. એનાથી જ મોક્ષ થાય છે. જેમ ઘડો થવામાં માટી ઉપાદાન કારણ છે પરંતુ કુંભાર ચક્ર, દંડ ચીવર વગેરે નિમિત્તો વગર કદીપણ ઘડો થતો નથી તેવી રીતે તીર્થકરરૂપ નિમિત્ત કારણ વગર આત્માનો મોક્ષ થતો નથી માટે તીર્થકરની ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. ૬૨૯ પ્રશ્ન જગતમાં જીવો પુણ્ય-પાપ કરે છે તેને તેનું ફળ આપનાર પરમેશ્વર છે કે નથી? પુણ્ય-પાપનું ફળ આપનાર પરમેશ્વર નથી. ઉત્તર ૨૭૩ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy