SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ, પૌષધ, પચ્ચક્ખાણ, દેવલોક, નક, નિગોદ, તીર્થયાત્રા, સમકિત, મિથ્યાત્વ, સામાયિક, જ્ઞાનના પ્રકાર, જીવના ભેદ, ગુણસ્તાનક, દાન, તપ, શીલ, કર્મવાદ, જ્ઞાન અને ક્રિયા, ભગવાનના જીવનના પ્રસંગો અને કલ્યાણક, સિદ્ધાચલ, સિદ્ધગતિ અને મોક્ષ, આયુષ્ય, સર્વ વિરતિ અને દેશવિરતિ, સમવસરણ, જિનવાણી, નય-નિક્ષેપ વગેરે વિષયોને લગતાં જુદા જુદા પ્રશ્નો છે. આ પ્રશ્નો અભ્યાસ વિષયક હોવા છતાં વ્યક્તિના ફળદ્રુપ ભેજામાંથી તર્ક-વિતર્ક દ્વારા ઉત્પન્ન થયેલા છે અને તેનું સમાધાન ક૨વામાં આવ્યું છે. અભ્યાસ વિષયક પ્રશ્નો જે તે વિષયની ગાથાઓના સંદર્ભમાં ક્રમિક રીતે આપવામાં આવ્યા છે તેમાં કોઈ આધાર આપવામાં આવ્યો નથી. જ્યારે સામાન્ય પ્રશ્નોત્તરમાં આધારભૂત ગ્રંથનું નામ કે મૂળપાઠ આપવામાં કે આવ્યો છે એટલે પ્રત્યુત્તર એ કોઈ ગ્રંથકર્તાની સ્વકલ્પના નથી પણ શાસ્ત્રીય આધાર અને જ્ઞાનને આધારે આપવામાં આવે છે એમ સ્પષ્ટ સમજી શકાય છે. સામાન્ય પ્રશ્નોત્તર શ્રાવક-શ્રાવિકાને ધર્મની આરાધના અને આચાર શુદ્ધિમાં માર્ગદર્શક બને છે. જૈન ધર્મ ઉપરાંત હિંદુ ધર્મના બ્રહ્મસૂત્ર - શાંકરભાષ્ય, પ્રશ્નોપનિષદ અને શંકરાચાર્ય વિરચિત પ્રશ્નોત્તરીનો ટૂંકી માહિતી આપવામાં આવી છે. તે ઉપરથી ખ્યાલ આવે છે કે હિંદુ ધર્મના મત પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તરોનો સમાવેશ કર્યો છે. તુલનાત્મક અધ્યયનના એક ઉદાહરણરૂપ આવી નોંધ ક૨વામાં આવી છે. પ્રશ્નોત્તર પદ્ધતિ એ માત્ર દર્શન શાસ્ત્રના ગહન જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગી નથી પણ શાળા-કૉલેજના વ્યવહાર શિક્ષણ અને તાલીમી સંસ્થાઓમાં એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે ઉપયોગ થાય છે એટલે અભ્યાસના એક અંગ તરીકે તેનો સ્વીકાર થયો છે. તર્ક અને વિચારશક્તિના વિકાસમાં આ પદ્ધતિનું પ્રદાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. શિક્ષણ સંક્રમણની પ્રક્રિયામાં Jain Education International 2010_03 ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy