SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા થવાનો સંભવ છે. આવી શંકા કે અસ્પષ્ટ સમજશક્તિને કારણે કેટલાક પ્રશ્નો ઉદ્દભવે છે. વસ્તુ વિશ્લેષણ પ્રશ્નોત્તર સાહિત્ય ત્રણ પ્રકારનું છે. (૧) આગમશાસ્ત્ર, (૨) જૈન દર્શન વિષયક, (૩) જૈન દર્શનના સામાન્ય પ્રશો. આગમ શાસ્ત્રના પ્રશ્નોત્તરમાં આચારાંગસૂત્ર, ભગવતી સૂત્ર, રાયપાસેણી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, જીવાજીવાભિગમ સૂત્ર, દેવિંદથુઅપયશ્ન, ઉત્તરાધ્યયન સૂત્ર, કલ્પસૂત્ર (ગણધરવાદ) ગૌતમપૃચ્છા વગેરે ગ્રંથોમાં રહેલા વિવિધ પ્રશ્નોમાંથી ઉદાહરણરૂપે કેટલાક પ્રશ્નોને આ ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે પ્રશ્નોત્તર સાહિત્યના ઉદ્દભવમાં આગમ ગ્રંથોનું મૂળભૂત પ્રદાન છે. તેમાંના પ્રશ્નો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સુસ્પષ્ટ કરે છે અને આ ઉત્તરો આધારભૂત માનવામાં આવે છે. લગભગ બધાં જ પ્રશ્નો માહિતીસભર અને તાત્ત્વિક રીતે જ્ઞાનસંપાદન કરવામાં ઉપકારક નીવડે છે. જૈનદર્શનવિષયક પ્રશ્નોત્તર ગ્રંથો ધર્મ વિશેના વિચારોને આ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ) આત્મસાત્ કરવામાં નોંધપાત્ર છે. કર્મગ્રંથ, જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર, ગુણસ્થાનક, પુગલનું સ્વરૂપ, લઘુ સંગ્રહણી, પ્રતિમાપૂજન, દંડક વગેરે વિષયોને લગતાં પ્રશ્નો છે. આ પ્રશ્નો અભ્યાસ વિષયક છે એટલે મૂળ સૂત્ર અને અર્થ કર્યા હોય તો પણ તેના દ્વારા ઉપરોક્ત વિષયોનું જ્ઞાન વધુ સઘન બને છે અને અંતે તે આત્માના જ્ઞાન ગુણના વિકાસમાં અમૃત સમાન સિંચન કરે છે. સામાન્ય પ્રશ્નોત્તર વિભાગમાં જૈન ધર્મના લગભગ બધા જ વિષયોમાં રહેલી ચતુર્વિધ સંઘની શંકાઓનું સમાધાન થયું છે. આ પ્રશ્નોત્તર માહિતી પ્રધાન, સત્યદર્શન, તફાવત, વ્યાખ્યા, વિશ્લેષણ વગેરે પ્રકારના છે. પૂજા, ૧૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy