SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોને સ્પર્શતા પ્રશ્નોત્તર ગ્રંથો મળે છે. આ પ્રશ્નો વિવાદને અંતે પણ પોતપોતાના મતવાળા પોતાની માન્યતા પ્રમાણે આચરણ કરે છે. અહીં આવા પ્રશ્નોનો પ્રશ્નોત્તર સાહિત્યની વિશદતા દર્શાવવા નોંધ કરવામાં આવી છે. ન્યાયાભાનિધિ શ્રીમદ્ આત્મારામજી મહારાજે “ચતુર્થ સ્તુતિ નિર્ણય નામના ગ્રંથની રચના સંવત ૧૯૪૪માં કરી છે. પુસ્તકના ઉઘડતે પાને જ અનુષ્ટ્રપ છંદ રચનામાં જણાવ્યું છે કે पक्षपात परित्यज्य तटस्थीभूय सत्वरांबुद्धि मदिभविलोक्योयं चतुर्थ स्तुति निर्णय ||1|| ચાર થોયના સમર્થનમાં શાસ્ત્રીય આધાર તરીકે ૮૨ ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો મૂળપાઠ પણ જણાવીને ચાર થોયનું સમર્થન કરેલ છે. રાગદ્વેષને કારણે કર્મબંધ થાય તેવા હેતુથી ઉપરોક્ત પ્રશ્નોત્તર ગ્રંથોના પ્રશ્નો આપવામાં આવ્યો નથી. પ્રશ્નોત્તર ગ્રંથોમાં જે રીતે ઉત્તરો આપવામાં આવ્યા છે તેને આ સંકલનમાં સ્થાન આપ્યું છે. એટલે જે તે પ્રત્યુત્તર અંગે કર્તાએ આપેલી માહિતી યથાર્થ એમ માનવાનું છે. સ્થાનકવાસી મતવાળા ગ્રંથમાં તે મત પ્રમાણે અર્થઘટન કર્યું છે. કોઈ પ્રત્યુત્તરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં આ સંકલન પ્રશ્નોત્તર સાહિત્યની વિપુલ સામગ્રી તેની આવશ્યકતા અને દર્શન શાસ્ત્રના ગહન-ગંભીર વિચારોને સમજવા માટે માર્ગદર્શક બને તેવા શુભ હેતુથી સંકલન કરવામાં આવ્યું છે. પ્રશ્નોત્તર ગ્રંથોનું વિષયવસ્તુ પ્રત્યેક ધર્મની વિશિષ્ટ પ્રકારની વિચારધારા હોય છે. તેનો વિશદ પરિચય જે તે ધર્મના પ્રાચીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. જૈનધર્મના મૂળ ગ્રંથ તરીકે આગમ સાહિત્યની વિશાળ સૃષ્ટિ છે. આગમ ગ્રંથોને આધારે નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને અન્ય પ્રકારના વિવેચન ગ્રંથો પૂર્વાચાર્યો એ રચ્યા છે તેને આધારે ધર્મવિષય મૂળભૂત માહિતી મેળવી શકાય છે. ધર્મનો વિષય ગહન અને ગંભીર હોઈ તેમાં (૧૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy