SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર રત્નકંબલનો સ્વભાવ ગ્રીષ્મકાળમાં શીત આપવાનો અને શીતકાળમાં ઉષ્ણતા આપવાનો છે. પ૬૧ પ્રશ્ન નરકગતિમાં રોગો કેટલા હોય? ઉત્તર સાતમી નરકમાં પાંચ કરોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસોને ચોરાશી (પ૬૮૯૯૫૮૪) રોગ સદાને માટે હોય છે. બાકીની નરકમાં પણ યથાયોગ હોય છે. પ૬ર પ્રશ્ન સાધ્વીજીને મન:પર્યવ જ્ઞાન થાય? ઉત્તર અપ્રમત્ત ગુણ સ્થાનકે વર્તતી મહાસતી સાધ્વીજીને મન:પર્યવ જ્ઞાન થાય. શ્રી પ્રવચન સારોદ્ધારના ર૭૦માં દ્રારમાં આ વાત કહી છે. પ૬૩ પ્રશ્ન દેવોના એક નાટકમાં કેટલો કાળ વ્યતીત થાય? ઉત્તર દેવોના એક નાટકની અંદર ચાર હજાર વર્ષ જેટલો કાળ વ્યતીત થાય. ખરતરગચ્છના શ્રી સમયસુંદરજીએ શ્રી વિશેષશતક નામના ગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પ૬૪ પ્રશ્ન અજીર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર જ્ઞાનનું અજીર્ણમાન, તપનું અજીર્ણ ક્રોધ, ક્રિયાનું અજીર્ણ પરનિંદા, અન્નનું અજીર્ણ વિસૂચિકા આ ચાર પ્રકારનાં અજીર્ણ પ૬૫ પ્રશ્ન આયંબિલમાં લૂણ કલ્પ યા નહીં? ઉત્તર આયંબિલમાં શ્વેતસિંધવ, બલવણ અને સંચર વગેરે કામમાં આવી શકે છે. ૫૬૬ પ્રશ્ન સામાયિક કે પૌષધમાં શ્રાવક વાસક્ષેપાદિકથી જ્ઞાનની પૂજા કરી શકે ? ૨૫૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy