SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ઉત્તર નાના પ્રકારના પાપ કર્મો કરીને નરકમાં ગયેલા જીવો પરમાધામી દેવોએ સ્મરણ કરાવેલ દુષ્કૃત્યોને ભવપ્રત્યયિક જાતિસ્મરણ જ્ઞાનથી જાણે. કારણ તેમને અવધિજ્ઞાન તો ઉત્કૃષ્ટથી પણ એક યોજનનું જ હોય છે એટલે તેઓ પોતાના દુષ્કૃત્યોને અવધિજ્ઞાનથી જાણી શકે નહીં. પપ૮ પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં ક્યા ક્યા પુણ્યશાળી આત્માઓએ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કર્યું? ૧. શ્રેણિક મહારાજા, ૨. ભગવાન મહાવીર સ્વામીના કાકા સુપાર્થ, ૩. શ્રી શ્રેણિક રાજાના પૌત્ર અને રાજા કોણિકના પુત્ર ઉદાયિરાજા જે મહાભાગને પોષધમાં અભવ્ય સાધુવેષધારી વિનયરત્નને માર્યા, ૪. શ્રી પોટ્ટીલ અણગાર, ૫. શ્રી દઢાયુ, ૬. શ્રાવસ્તી નગરીનોવાસી શંખ શ્રાવક, ૭. શતક કે જેમનું બીજું નામ પુષ્કલી હતું તે, ૮. ૩૨ પુત્રોને ઉત્પન્ન કરનારી સુલસા શ્રાવિકા, ૯. પ્રભુ શ્રી મહાવીરને ઔષધ આપનાર રેવતી શ્રાવિકા, આ નવ પુણ્યશાળી આત્માઓએ પ્રભુ મહાવીરના શાસનમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્રના નવમાં સ્થાનમાં તેનો ઉલ્લેખ છે. ૫૫૯ પ્રશ્ન જગતમાં અંધકાર કેટલા કારણોથી થાય છે? ઉત્તર શ્રી જિનેશ્વર ભગવાનના નિર્વાણથી, શ્રી જિનેશ્વર ભગવાનના જ્ઞાનનો વિચ્છેદ થવાથી, પૂર્વના જ્ઞાનનો વિચ્છેદ થવાથી, બાદર અગ્નિનો વિચ્છેદ થવાથી જગતમાં અંધકાર થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં તેનો પાઠ છે. પ૬૦ પ્રશ્ન રત્નકંબલનો સ્વભાવ કેવો હોય? (૨૫૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy