SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૫૫૩પ્રશ્ન ઉત્તર શ્રી શાંતિનાથ સ્વામીની માતાએ ચૌદ સ્વપ્નો તે બે વખત જોયાં હતાં. એકવખત તીર્થંકરપણાને સૂચવનારાં અને બીજી વખત ચક્રવર્તીપણાને સૂચવનારાં. આચાર્ય ભગવંત શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજય માહાત્મયના આઠમાં સર્ગમાં લખે છે કે बमूव भारतक्षेत्रे, पुरे गजपुरे वरे । નિતવિશ્વ વિશ્વસેનો વિશ્વસેના મદીધવઃ ||73|| ઉત્તર શ્રી કૃષ્ણ મહારાજાના ભવો કેટલા ? પ્રથમ ભવ શ્રી કૃષ્ણ મહારાજાનો, બીજો નારકીનો, ત્રીજો મનુષ્યનો ભવ પામીને તેમાં તીર્થંકર નામકર્મને નિકાચિત કરી ચોથા વૈમાનિક દેવનો ભવ અને પાંચમે ભવે શ્રી અમમ નામના બારમાં તીર્થંકર થશે. શ્રી સંઘદાસગણીએ વસુદેવ હિંડીમાં આ વાત કહી છે. ૫૫૪ પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ ચૈત્રશુક્લ ત્રયોદશીએ થયેલો છે અને નિર્વાણ આસો વદી અમાવસ્યાએ થયેલું છે તો કરૂણાસાગર વીરપ્રભુનું આયુષ્ય સંપૂર્ણ ૭૨ વર્ષનું કહેવાય છે તેનો સંભવ શી રીતે થાય ? આયુષ્ય જન્મ દિવસથી નહિં પરંતુ ચ્યવનથી એટલે પ્રભુએ જે દિવસે માતાના ગર્ભમાં આવ્યા તે દિવસથી ગણાય. તેનો હિસાબ મેળવવા માટે પ્રથમ જૈનશાસ્ત્રમાં વર્ષો કેટલા પ્રકારના તથા કેટલા દિવસનાં તે જાણી લેવું જોઈએ. એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. તેના દિવસો નીચે મુજબ છે (૧) ૩૫૪ દિવસ - ચંદ્રસંવત્સર, (૨) ૩૫૪ દિવસનો ચંદ્રસંવત્સર, (૩) ૩૮૪ દિવસનો અભિવર્ધિત સંવત્સર, (૪) ૩૫૪ દિવસનો ચંદ્ર સંવત્સર, (૫) ૩૮૪ દિવસનો અભિવર્ધિત નામનો સંવત્સ૨ આ પ્રમાણે એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. Jain Education International 2010_03 ૨૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy