SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ પ્રશ્ન ઉત્તર ૫૫૧પ્રશ્ન ઉત્તર ૫૫૦ પ્રશ્ન સાધુ-સાધ્વીએ ધર્માનુષ્ઠાન કઈ દિશામાં કરવું જોઈએ? સાધુ-સાધ્વીએ દીક્ષા, પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાં જોઈએ. શ્રી સ્થાનાંગ નામના ત્રીજા અંગસૂત્રમાં બીજા સ્થાનના પહેલા ઉદ્દેશોમાં તેનો ઉલ્લેખ થયો છે. ઉત્તર કરે. શ્રી જ્ઞાતાસૂત્રનામાં છઠ્ઠા અંગસૂત્રના આઠમાં અધ્યયનમાં આનો ઉલ્લેખ છે. ૫પર પ્રશ્ન શ્રાવક શ્રાવિકાઓ રજોહરણ અને મુહપત્તિ રાખે છે પરંતુ તે અવશ્ય રાખવા જોઈએ એવું કોઈ શાસ્ત્રમાં છે ? રજોહરણ અને મુખવસ્ત્રિકા સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા આ ચારને અવશ્ય રાખવા જોઈએ. શ્રી અનુયોગદ્વારમાં લોકોત્તર ભાવ આવશ્યકના અધિકારમાં આવતા ‘તદપ્પિયકરણે' પાઠની વ્યાખ્યામાં તેનો ઉલ્લેખ થયો છે. પ્રતિક્રમણમાં વ્રતોના અતિચા૨ની આલોચના કરવાની છે તો પછી જે શ્રાવકોએ વ્રતોનો સ્વીકાર જ કર્યો નથી તેઓને પ્રતિક્રમણ શાનું? શ્રી જિનેશ્વર દેવે શ્રાવકો માટે જે કાર્યનો નિષેધ કરેલો હોય તે ક૨વામાં આવ્યું હોય, જે કાર્યો શ્રાવકો માટે અવશ્ય કરવા ફરમાવ્યા છતાં ન કર્યા હોય, શ્રી વીતરાગદેવના વચન ઉ૫૨ અશ્રદ્ધા કરી હોય તથા શ્રી જિનેશ્વર દેવના સિદ્ધાંતથી વિપરીત પ્રરૂપણા કરી હોય તેની ખાતર શ્રાવકોને પ્રતિક્રમણ કરવા માટે શ્રી વંદિત્તાસૂત્રમાં ગણધરને જણાવ્યું છે. (વંદિત્તા સૂત્ર ગાથા ૪૮) શ્રી શાંતિનાથ સ્વામીની માતાએ કેટલાં સ્વપ્નો જોયાં ? Jain Education International 2010_03 ૨૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy