SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નિકટ સંબંધ થયો છે? ઉત્તર શ્રી ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં બંનેનો નિકટ સંબંધ થયેલ છે. શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકના સાતમા ઉદ્દેશાની ટીકામાં ઉલ્લેખ છે કે ત્રિપૃદમ માવતો ગૌતમ: I ૫૪૧ પ્રશ્ન સંધ્યાનું પ્રતિક્રમણ કર્યા પછી શ્રાવક દહેરાસર દર્શન કરવા જઈ શકે? ઉત્તર સંધ્યાનું પ્રતિક્રમણ કર્યા પછી શ્રાવક દહેરાસર દર્શન કરવા જઈ શકે. શ્રી આચારોપદેશ નામા ગ્રંથના પાંચમા વર્ગમાં લખેલ છે. ૫૪૨ પ્રશ્ન પુષ્ય નક્ષત્રનું બળવાનપણું જ્યોતિષ શાસ્ત્રમાં છે પણ કોઈ જેન સિદ્ધાંતમાં છે? ઉત્તર પુષ્ય નક્ષત્ર અને વિજય મુહુર્ત ગમનમાં શ્રેષ્ઠ છે. શ્રી જ્ઞાતાસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે जुत्तो पुस्सो विजओ मुहुर्ता । अपि द्वादशमे चन्द्रे पुष्यः सर्वार्थिसाधकः ।। બારમો ચંદ્રમા હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વાર્થ સાધક છે. ૫૪૩ પ્રશ્ન દીક્ષા અવસરે મૂળનામ બદલી બીજાં રાખવામાં આવે છે તે પ્રવૃત્તિ આધુનિક છે યા પ્રાચીન? પ્રાચીન હોય તો તેનું કોઈ દૃષ્ટાંત શાસ્ત્રમાં છે? ઉત્તર દીક્ષા અવસરે નામ બદલવાની વિધિ પ્રાચીન છે. સારું નામ રાખવાનું પંચવસ્તુમાં કહ્યું છે તથા મહાસતીશ્રી મદનરેખાનું નામ બદલી સુવ્રતા નામ આપવામાં આવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં તેનો ઉલ્લેખ મળે છે. ૫૪૪ પ્રશ્ન ભાવતીર્થ કોને કહીએ? ૨૪૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy