SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અને અનેક દ્રવ્ય પથ્યને ભેષજ તરીકે જણાવેલ છે. પ૩૬ પ્રશ્ન મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન સાધુ મહારાજને જ થાય કે ગૃહસ્થને પણ થાય? ઉત્તર ગૃહસ્થને મન:પર્યવ જ્ઞાન ન થાય. સાધુ મહારાજાઓને જ થાય. શ્રી પન્નવણાસૂત્રના ત્રીજાપદની ટીકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે. પ૩૭ પ્રશ્ન પૌષધમાં એકાસણું કરનાર શ્રાવકને લીલું શાક કહ્યું કે નહીં? ઉત્તર પૌષધમાં લીલું શાક ન કલ્પ. સેન પ્રશ્નમાં સેનસૂરીજી મહારાજે આ વાત જણાવી છે. ઉપધાનનાં પૌષધમાં તેમજ અન્ય પૌષધમાં એકાસણું કરનારને લીલું શાક ખાવાની પ્રવૃત્તિ સાંપ્રત કાળમાં નથી. પ૩૮ પ્રશ્ન ઉપધાનની ક્રિયા દરેક સાધુ મહારાજ કરાવી શકે? ઉત્તર જે સાધુ મહાત્માઓએ મહાનિશીથ નામના સિદ્ધાંતાદિના યોગને વહન કર્યા હોય તેઓ જ કરાવી શકે. આજ્ઞાભંગ થવાથી સંસાર પરિભ્રમણ થવાના કારણથી બીજાઓ ન કરાવી શકે. શ્રી સેના પ્રશ્નના બીજા ઉલ્લાસમાં આ માહિતી છે. પ૩૯ પ્રશ્ન શ્રીમાનું વિજય શેઠ અને વિજય શેઠાણીના જેવું આદર્શ શ્રમણોપાસક યુગલ બીજું થયું હોય એમ જાણવામાં આવેલ છે? ઉત્તર ભરૂચ શહેરમાં વસતા સુશ્રાવક જિનદાસ અને તેમની ધર્મપત્ની શ્રીમતી સુહાગદેવીનું શ્રીમાનુ વિજયશેઠ અને વિજયા શેઠાણીના જેવું જ આદર્શ શ્રમણોપાસકયુગલ થયું છે. ઉપદેશ તરંગિણીમાં તેનો ઉલ્લેખ છે. ૫૪૦ પ્રશ્ર શ્રીમાનું ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામીજી ઉપર અત્યંત રાગ હતો તો પ્રથમ કોઈ ભવમાં તેમનો પરસ્પર ૨૪૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy